ગરબાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને આદિવાસી સાંસ્કૃતિક રેલી અને ચિંતન શિબિર યોજાઈ ..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને આદિવાસી સાંસ્કૃતિક રેલી અને ચિંતન શિબિર યોજાઈ ..

ગુજરાત રાજસ્થાન ,મ .પ્ર સહિતના વક્તાઓએ આદિવાસીઓને હક અને અધિકારોથી માહિતગાર કર્યા 

દાહોદ તા.04

આગામી 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને આદિવાસી સમાજ દ્વારા તૈયારીઓ પૂર જોશમાં શરૂ કરી દીધી પંથકના ગરબાડા આદિવાસી પરિવાર દ્વારા સાંસ્કૃતિક રેલી અને ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સૌપ્રથમ ગૌરીયાદેવ મંદિર ઉપર વૃક્ષ રોપણ કરી ગરબાડા નગરમાં રેલી કાઢી અને મામલતદાર ઓફિસની સામે મેદાનમાં સાંસ્કૃતિક રેલી અને ચિંતન શિબિર યોજાઈ હતી.

જેમાં ગરબાડા તાલુકાના આદિવાસી સમાજના લોકો ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં વૃદ્ધો યુવાનોએ પણ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના બંધારણમાં મળેલ હકો એને ફરજ વિશે માહિતગાર કર્યા હતા જેમાં આદિવસી સાંસ્કૃતિને ઉજાગર કરતા રગારગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. વરસતા વરસાદની વચ્ચે પણે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

અને શિબિરમાં તાત્યા ટોપે અને બિરસા મૂડાં ના જીવન અને આદિવાસી સમાજમાં ક્રાંતિ લાવવા કરેલા કાર્યોની આજના યુવાનોને માહિતગાર કર્યા હતા.

Share This Article