
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીની વાણીયાઘાંટી પ્રાથમિક શાળા અને ગલાના પર પ્રાથમિક શાળાના બાળકો ચોમાસે ઓટલા પર બેસી ભણવા મજબૂર.
સૌ ભણે સૌ આગળ વધે ખાલી સૂત્રો જ સારા લાગે?વાણીયાઘાટી પ્રાથમિક શાળા તેમજ ગલાના પડ પ્રાથમિક શાળામાં બાળકોને મુશ્કેલી?
સંજેલી તાલુકાની જર્જરીત શાળાઓને લઈ તાત્કાલિક નવીનીકરણ કરવા આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત.
બાળકોની સમસ્યાને લઇ આપના કાર્યકર્તાઓ શાળાની મુલાકાતે પહોંચ્યા.
ઝર્ઝરિત ઓરડામાં કેવી રીતે ભણશે બાળકો શું રાજકોટવાળી થશે તો જવાબદારી કોની?
રમશે ગુજરાત જીતશે ગુજરાતના સુત્રો પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચો કરી રહી છતાં જર્જરિત ઓરડાનો રાફડો.
સંજેલી તા.01
આ જ પ્રાથમિક શાળામાં 2વર્ષ અગાઉ વાણીયાઘાટી ખાતે રવિવારના દિવસે વાવાઝોડું સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા સ્કૂલની છત પડી ગઈ હતી મોટી જાનહાની ટળી હતી.બાળકોનું નસીબ કે તે દિવસ રવિવાર હોવાના કારણે રજા હતી નહીં તો કેટલા બાળકો બોગ બનતા? ઉપરવાળા ભગવાને પણ બાળકો પર દયા કરી તેમ લાગી રહીયુ પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓનું બે વર્ષ થયા હજી સુધી પેટનું પાણી પણ હલતું નથી ખરેખર આ સરકારી બાબુઓ કોઈપણ જાતનું ધ્યાન રાખવામાં આવતું નથી?
જેને લઇ બાળકો મજબૂર બનતા હોય છે.સંજેલી તાલુકાની વાણીયાઘાટી પ્રાથમિક શાળા તથા ગલાના પડ પ્રાથમિક શાળા તદ્દન તૂટીલી હાલતમાં હોવાથી શાળાના બાળકોને અભ્યાસ કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા અને બંને શાળાઓ તાત્કાલિક ધોરણે નવીનીકરણ કરવા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ. શિક્ષણ થકી વૈજ્ઞાનિકો પણ ચાંદ પર પહોંચી ગયા પણ સંજેલી તાલુકાની વાણીયાઘાટી પ્રાથમિક શાળા તેમજ ગલાના પડ પ્રાથમિક શાળા ઝર્જિતરીત ઓરડા હોવાથી બાળકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.
બાળકોને બેસવા માટે ઓરડાની વ્યવસ્થા ના હોવાથી બાળકોના ભવિષ્ય નું શું થશે?રમશે ગુજરાત જીતશે ગુજરાતના સુત્રો પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચો કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી હોવાના કારણે માસુમ બાળકો જીવના જોખમે ઝર્જરીત સ્કૂલની અંદર અભ્યાસ કરવા માટે લાચાર બનતી હોય છે.તંત્ર એ આંખે પાટા બાંધ્યા હોય તેમ જોવાઈ રહી છે સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સુવિધા આપવાની વાતો કરાઈ રહી છે ખરેખર છેવાડાના માનવી સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી જો વ્યવસ્થા કરવામાં આવતી હોય તો આજે બાળકો બહાર ઓટલા પર બેસી અભ્યાસ કરવા મજબૂર ન બન્યા હોત આથી સાબિત થઈ રહીu છે કે સેવાડાના માનવી સુધી બાળકોને સારી સ્કૂલો નથી. સંજેલી તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ટુટેલી ફૂટેલી અને લટકતી તલવાર ની જેમ ઓરડાઓ જરજરિત જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી શું રાજકોટવાળી થશે તો આ તંત્રને ભાન આવશે તંત્ર દ્વારા વહેલી તકે આ માસુમ બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી અને નવીન ઓરડા બાંધી આપવામાં આવે તેવી ગ્રામજનો તેમજ આમ આદમી પાર્ટીની માંગ સાથે સંજેલી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.