સંતરમપુરમાં રક્તદાન શિબિર યોજાઈ 

Editor Dahod Live
1 Min Read

સંતરમપુરમાં રક્તદાન શિબિર યોજાઈ 

સંતરામપુર તા. ૨૭ 

 સંતરામપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર, ડોક્ટર સંજયભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ સંતરામપુરમાં ભવ્ય રક્તદાનનું આયોજન કરવામાં આવેલ કુલ 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સાહેબ શ્રીઑ 

તેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરસણ ના ડોક્ટર શૈલીબેન પટેલ માં આવતું રાણીજીની પાઘડી માં MPHW યુનુસ ભાઈ દ્વારા રક્તદાતાઓની એકત્રિત કરી સારી સમજ આપી તેમને રક્તદાન કરવા પ્રોત્સાહન કરી તેવા રક્તદાતા ધવલભાઇ પટેલ રિયાજીભાઈ શેખ કિરણભાઈ પટેલ અને દરજી શિવમભાઈ એ પણ રક્તદાન કરી સમાજમાં સારો સંદેશો પાઠવેલ છે સહકર્મચારી સંતરામપુર તાલુકાની આજુબાજુના ગામમાંથી રક્તદાતાઓ આવી અને પોતાનું રક્તદાન કરી સમાજમાં એક સારી સેવા પ્રધાન કરી આ રક્તદાન સગર્ભા માતાઓની એનેમિક માતાઓની રોડ એક્સિડન્ટ કે અકસ્માત સમય પ્રાણયોગ કાર્ય કરે છે રક્તદાન વર્ષમાં ચાર વાર કરી શકાય છે રક્તદાન કરવાથી બીપી ડાયાબિટીસ લોહીના કણોમાં વધઘટ ઓછી રહે છે માનવી તંદુરસ્ત રહે છે આપ રક્તદાન કરી કોઈની રક્ત ની ઉપણ માં પ્રાણ બચાવી શકો છો તે ખૂબ પ્રશંસ્ય કાર્ય છે તે બદલ આરોગ્ય પરિવાર તેમનો ખૂબ આભાર વ્યક્ત કરે છે મેગા બ્લડ કેમ્પ યોજાયો 251 બ્લડ ડોનેટ કરાયું હતુ.

Share This Article