Sunday, 06/07/2025
Dark Mode

દાહોદ સ્મશાનના સામેના ભાગે ખુલ્લી જગ્યામાં અધૂરી દફનવિધિ કરેલો મહીલાનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયાં..

May 8, 2021
        1204
દાહોદ સ્મશાનના સામેના ભાગે ખુલ્લી જગ્યામાં અધૂરી દફનવિધિ કરેલો મહીલાનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયાં..

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા:- દાહોદ લાઈવ ડેસ્ક..

  • દાહોદ સ્મશાનના સામેના ભાગે મહીલાની ખાડામાં દાટેલ મૃતદેહ મળ્યો

  • મહીલાના મૃતદેહને જંગલી પ્રાણીઓ અને કુતરા દ્વારા ફાડી ખાધેલ હાલતમાં મૃતદેહ અને ખોપડીઓ મળી

  • ઓલ એનીમલ રેસ્ક્યુ ટીમના કાર્યકર્તાઓને જાણ થતા બનાવ સ્થળે પોહચીયા

  • માનવ ખોપડી અને મૃતદેહ કોને નાખ્યો તપાસનો વિષય બન્યો

  • કોરાનાની મહામારીના સમયે મૃત્યુ પામેલ મહીલાનો ખાડામાં અડધી દાટેલ મૃતદેહ મળી મળતા ચકચાર

  • મહીલાની મૃતદેહની દફન વિધિ કરાઈ કે પછી અન્ય કારણો સર નાખી દેવાયો તે તપાસનો વિષય બન્યો

  • આ ખાડામાં એક થી વધુ મૃતદેહોની દફન વિધિ કરાઇ હોવાની આશંકા ને લઇ અનેક તર્ક વિતર્કો થયા

  • દાહોદ તા.૦૮

દાહોદ શહેરના સ્મશાનના સામેના ભાગે આજે એક દ્રશ્યથી સૌ કોઈ અચંબા સહિત વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ વિસ્તારમાં ખાડામાંથી મહિલાનો મૃતદેહની અધૂરી દફનવિધિ તેમજ આસપાસમાં માનવ કંકાલ જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે આ મહિલાના અધૂરી દફનવિધિ કરાયેલા મૃતદેહ ને કુતરાઓ આરોગતા આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત ફેલાઈ જવા પામી છે. ત્યારે દફનવિધિ તેમજ કંકાલને લઇ અનેક તર્ક વિતર્કાે વહેતા થવા માંડ્યાં છે. હાલ કોરોના કાળમાં સ્મશાનની પાછળ કોઈ કે મૃતદેહને દાટી દીધી હશે કે, પછી કોઈ અન્ય કારણ? જેવા અનેક સવાલો નગરજનોમાં વહેતાં થવા માંડ્યાં છે.

દાહોદ શહેરના સ્મશાન વિસ્તારના સામેદાહોદ સ્મશાનના પાછળના ભાગે મહીલાની ખાડામાં દાટેલ મૃતદેહ મળ્યોના ભાગે ખાડામાં અધૂરી દટાયેલી મહિલાનો મૃતદેહ તેમજ આસપાસમાં માનવ ખોપડી સહીતના કંકાલ નજરે પડતાં અવર જવર કરતાં લોકો ગભરાઈ ગયાં હતા.જોકે આ અંગેની જાણ સ્થાનીકો દ્વારા પ્રથમ તો ઓલ એનીમલ રેશ્ક્યુ ટીમને કરવામાં આવી હતી.ખાડામાંથી માનવ ખોપડી સહિત કંકાલ નજરે પડ્યાં હતાં. તેમજ મહિલાના મૃતદેહ તેમજ ખોપડી સહિતના કંકાલને કુતરા તેમજ જંગલી પ્રાણીઓએ ફાડી ખાંધી હોવાનું પણ જાણળા મળી રહ્યું છે. ત્યારે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે નજરે પડી રહેલા આ મૃતદેહ તેમજ કંકાલને પગલે સ્થાનીકોમાં ભયનો માહોલ પણ જાેવા મળ્યો હતો.મૃતદેહને દફન કરવામાં આવી હશે કે, પછી અન્ય કારણોસર નાંખી દેવમાં આવી હશે? જેવા અનેક સવાલો નગરજનોમાં વહેતા થવા માંડ્યાં છે ત્યારે આ ખાડમાં એકથી વધારે મૃતકોની દફન વિધિ કરાઈ હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. હાલની કોરોના પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સંલગ્ન તંત્ર આ મામલે તપાસ હાથ ધરે તે અત્યંત આવશ્યક બની રહ્યું છે.

———————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!