Sunday, 08/09/2024
Dark Mode

નગરાળા ખાતે ” આદિવાસીઓ અને શિક્ષણ ” વિષય પર રાજય કક્ષાનો સેમિનાર અને વાર્ષિક અધિવેશન યોજાયું  જેમાં ગુજરાતની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા 

March 3, 2024
        527
નગરાળા ખાતે ” આદિવાસીઓ અને શિક્ષણ ” વિષય પર રાજય કક્ષાનો સેમિનાર અને વાર્ષિક અધિવેશન યોજાયું   જેમાં ગુજરાતની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા 

રાજેશ વસાવે :- દાહોદ 

નગરાળા ખાતે ” આદિવાસીઓ અને શિક્ષણ ” વિષય પર રાજય કક્ષાનો સેમિનાર અને વાર્ષિક અધિવેશન યોજાયું

 જેમાં ગુજરાતની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા 

દાહોદ તા. ૩

નગરાળા ખાતે " આદિવાસીઓ અને શિક્ષણ " વિષય પર રાજય કક્ષાનો સેમિનાર અને વાર્ષિક અધિવેશન યોજાયું  જેમાં ગુજરાતની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા 

દાહોદ તાલુકાના નગરાળા ગામેં આવેલ શ્રી ગોપાલભાઈ પી.ધાનકા એમ.એસ.ડબલ્યુ. કોલેજમાં આજરોજ અખિલ ગુજરાત કોલેજ અને યુનિવર્સિટી અઘ્યાપક મંડળ દ્વારા ” આદિવાસીઓ અને શિક્ષણ ” વિષય પર રાજય કક્ષાનો સેમિનાર અને વાર્ષિક અધિવેશન યોજાયું હતુ. જેમાં ગુજરાતની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. એડવોકેટ શ્રી વનરાજભાઈ પારગીએ અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું. મુખ્ય મહેમાન પદે ગુર્જર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગોપાલભાઈ ધાનકા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે પ્રો. મણિલાલ ગરાસીયા, રાજસ્થાન, શ્રી અનિલભાઈ ડામોર, મધ્યપ્રદેશ, બેન્ક ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષક શ્રી શકજી ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી અધ્યાપક મંડળના પ્રમુખ શ્રી જે.સી. પટેલે સ્વાગત કર્યુ હતુ. અધ્યાપક મંડળના મંત્રી શ્રી પ્રો. વિનુભાઈ ચૌધરીએ સેમિનારના ઉદ્દેશયો રજૂ કર્યા હતા.

નગરાળા ખાતે " આદિવાસીઓ અને શિક્ષણ " વિષય પર રાજય કક્ષાનો સેમિનાર અને વાર્ષિક અધિવેશન યોજાયું  જેમાં ગુજરાતની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા 

મંચસ્થ મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધનમાં સેમિનારની સફળતા માટે શુભ કામનાઓ પાઠવી હતી. એડવોકેટ શ્રી વનરાજભાઈ પારગીએ સંશોધનકારો અને લેખકોને વધુને વધુ શોધ પત્રો અને પુસ્તકો લખવા માટે પ્રેરણા આપતા જણાવ્યું હતુ કે તેઓ પુસ્તકો પ્રકાશિત કરવા માટે લેખકોને અડધો ખર્ચો આપશે. તાજેતરમાં પુસ્તક લખનાર લેખકો, તાજેતરમાં પી.એચ.ડી. ની ડીગ્રી મેળવનાર, યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવનાર, અધ્યાપક સહાયક તરીકે નિયુક્ત થનાર, પ્રોમોશન મેળવનાર, સંગીત, સાહિત્ય, કલા, રમત ગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારનું સન્માન કરવામાં આવ્યું હતું.

નગરાળા ખાતે " આદિવાસીઓ અને શિક્ષણ " વિષય પર રાજય કક્ષાનો સેમિનાર અને વાર્ષિક અધિવેશન યોજાયું  જેમાં ગુજરાતની જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા 

બીજા સત્રનું અધ્યક્ષ સ્થાન ડૉ. ઈશ્વરભાઇ ગામીતે શોભાવ્યું હતુ.

આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ, આદિવાસી ભાષા અને શિક્ષણ, આદિવાસી મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ, નવી શિક્ષણ નીતિ જેવા વિષયો પર શોધ પત્રો રજૂ થયા હતા. સંચાલન ડો.વિપુલભાઈ કટારાએ કર્યું હતું. સેમીનારના સંયોજક તરીકે ડૉ. રાજુભાઇ ભુરિયાએ જવાબદારી નિભાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!