જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં MGVCL દ્વારા વીજ પુરવઠો બંધ કરી પ્રિમોન્સૂન અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાઈ
ચોમાસાની ઋતુ દરમિયાન વીજ સપ્લાયમાં કોઈ વિઘ્નો ન નડે તે માટે MGVCL દ્વારા કામગીરી કરવામાં આવી
દાહોદ તા.22
દાહોદ શહેરમાં આજે વહેલી સવારના 08 વાગ્યાથી વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જાણવા મળ્યા પ્રમાણે દાહોદ શહેરમાં પ્રી મોન્સુન અને મેન્ટેનન્સની કામગીરી MGVCL દ્વારા કરવામાં આવી રહી છે.
હવે ચોમાસા ઋતુંનું આગમન થઈ ચૂકયું છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં હાલ વહીવટી તંત્ર દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે દાહોદ MGVCL દ્વારા પણ દાહોદ શહેરમાં આ કામગીરીનો આરંભ કર્યો હતો. આજે દાહોદ શહેરમાં વહેલી સવારના 08 વાગ્યા થી શહેરના તમામ વિસ્તારોનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જાણવા મળ્યા અનુસાર, દાહોદના રલિયાતી સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રિ મોન્સુન તેમજ મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘણા સ્થળોએ જૂની વીજ ડીપી તેમજ જૂના વીજ પોલ હટાવી નવા પણ નાખવામાં આવ્યા છે. સવારના 08 વાગ્યા થી ડૂલ થયેલ વીજ પુરવઠો બપોરના 03 વાગ્યાના આસપાસ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો. સવારથી વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ ધંધાદારી આલમ તેમજ બેંકના કામકાજ ઉપર પણ અસર પડી હતી.