દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ બનેલા આગના બનાવોમાં ઘાસના પૂળાઓ તેમજ રોડ બનાવવાના વાહનો બળીને થયા ભસ્મીભૂત:સદભાગ્યે કોઈ જાનહાની નહિ

Editor Dahod Live
2 Min Read

 નીલ ડોડીયાર/દીપેશ દોશી :- દાહોદ 

દાહોદ તા.30

દાહોદ જિલ્લામાં આજે બે જુદી જુદી જગ્યાએ આકસ્મિક રીતે બનેલા બે આગના બનાવમાં હજારો રૂપિયાનું ઘાસ તેમજ રોડ બનાવવા વાહનો સહિતનો સમાન આગની લપટોમાં બળીને રાખ થઇ જવા પામ્યું છે. જયારે આગના બન્ને બનાવોમાં સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નહોતી

ધાનપુરના પીપેરોમાં રોડ બનાવવાના વાહનોમાં લાગેલી આગના દ્રશ્યો 

દાહોદ જિલ્લામાં આગનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ગલાલિયાવાડ મહુડીઝોલા પાસે રાતના સાડા પોણા દસ વાગ્યાંના અરસામાં બનવા પામ્યો હતો. જેમાં ખુલ્લી જગ્યામાં મુકેલા ઘાસના પુણાઓમાં અકસ્માતે આગ લાગી જતા આંખે જોતાં જોતાં પણ રૂપ ધારણ કરી લીધો હતો. જોકે આ આગ વધુ વકરે તે પહેલા સ્થાનિકોએ દાહોદ અગ્નિશામક દળને આ બનાવની જાણ કરતા અગ્નિશામક દળના ફાયર ફાઈટર તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઓલવી લીધી હતી. જોકે આગ લાગવાનો ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ સ્થાનિકોના કયા અનુસાર આજે દેવદિવાળીના પર્વે સ્થાનિક બાળકો દ્વારા ફટાકડા ફોડી રહ્યા હતા. તે દરમિયાન આકસ્મિક રીતે ઘાસના પુળાઓમાં આ આગ લાગી હતી. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી આગના બનાવમાં કુલ કેટલું નુકસાન થયું છે.તે હાલ જાણી શકાયું નથી પરંતુ આ બનાવમાં કોઈ જાની થવા પામી નહોતી

જયારે આગનો બીજો બનાવ દે. બારીયાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે સાંજના સુમારે બનવા પામ્યો હતો. જેમાં પીપેરો ગામના રાજશ્રી ટ્રેડર્સ ખાતે રોડ નવીન રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે ડામર રોડ બનાવવા વાળા વાહનોમાં આકસ્મિક આગ લાગી જતા કોઈક કઈ સમજે તે પહેલા વાહનો આગની લપટોમાં લપેટાઇ ગયા હતા. ત્યારબાદ આ બનાવની જાણ ધાનપુર તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી બળવંતભાઈ ખાબડને થતાં તેઓ ઘટના સ્થળે તાબડતોબ દોડી આવી મોટરો તેમજ ટેન્કરો વડે પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી. આ બનાવમાં પણ વાહનો આગની લપટોમાં ભસ્મીભૂત થઈ ગયા હતા. જોકે સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નહોતી.

Share This Article