સગાસંબંધીઓને ત્યા મળવા ગયા હતા અને બે દિવસ ત્યાં રોકાયા હતા. બે દિવસના રોકાણ બાદ પરત ગઈકાલે પોતાના ઘરે આવ્યા હતા. ઘરે આવતા જાેતા જ સૌ કોઈના હોશ ઉડી ગયા હતા. તસ્કરોએ કિરીટભાઈના બંધ મકાનને નિશાન બનાવી મકાનમાં મુકી રાખેલ સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા પાંચ લાખ એમ લાખ્ખોની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જવામાં સફળ રહ્યા હતા. આ ચોરીના જાણ મકાન માલિકને થતાંની સાથે જ પરિવારજનો ઘરે દોડી આવ્યા હતા અને મકાનમાં જાેતા તમામ સર સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને ઉપરોક્ત મત્તાની ચોરી થઈ હોવાનું પણ જણાઈ આવતાં પરિવારના મોભી દ્વારા દાહોદ તાલુકા પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસનો આરંભ કરી દીધો છે.