ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આજરોજ જિલ્લા તેમજ મહાનગરના ભાજપના સંગઠનના નવનિયુક્ત પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં દાહોદ જિલ્લાના ભાજપના પ્રમુખ શંકર અમલીયારની ફરીવાર નવયુક્તિ થવા પામી હતી. આજરોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા ગુજરાતના ૩૯ જિલ્લા તેમજ મહાનગરોના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં શંકરભાઈ અમલીયારની નવનિયુક્તિને વધાવી લઈ ટેલીફોનીક તેમજ સોશીયલ મીડીયાના માધ્યમથી સૌ કોઈએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.