દાહોદથી વિરપુર જતી એસટી બસ પર પથ્થરમારો,એસટી બસનો આગળનો કાચ તૂટ્યો:ડ્રાઈવરને સામાન્ય ઈજા

Editor Dahod Live
1 Min Read

  હિતેશ કલાલ :- સુખસર 

દાહોદ થી વિરપુર જતી એસટી
બસ પર બચકરીયા ગામ એ પથ્થરમારો,એસટી બસનો આગળનો કાચ તૂટ્યો:ડ્રાઈવરને સામાન્ય ઈજા.

 સુખસર.તા.20

ફતેપુરા તાલુકાના સુખસર નજીક હાઇવે પર આવેલા બચકરીયા ગામે સોમવારના સાંજના સમયે દાહોદ થી વીરપુર તરફ જતી એસટી બસ પર એક અજાણ્યા ઇસમે પથ્થરમારો કર્યો હતો જેમાં એસટી બસનો આગળનો કાચ તુટી જવા પામ્યો હતો તેમ જ ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી આ ઘટનાને લઇ બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો એસટી બસ ના કર્મચારી યાકુબભાઈ પઠાણની ફરિયાદના આધારે પોલીસે અજાણે યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ બસ પર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડનાર ઇસમની શોધખોળ શરૂ કરી હતી.

Share This Article