Tuesday, 25/11/2025
Dark Mode

*અગમચેતી એજ સલામતી* *“કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ દાહોદ જિલ્લાના ખેડૂતો જોગ સંદેશો”*

October 25, 2025
        4567
*અગમચેતી એજ સલામતી*  *“કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ દાહોદ જિલ્લાના ખેડૂતો જોગ સંદેશો”*

રાજેશ વસાવે :- દાહોદ 

*અગમચેતી એજ સલામતી*

*“કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ દાહોદ જિલ્લાના ખેડૂતો જોગ સંદેશો”*

દાહોદ તા. ૨૪

દાહોદ, શનિવાર :- હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૫-૧૦-૨૦૨૫ થી તા. ૧-૧૧- ૨૦૨૫ દરમિયાન ગુજરાત રાજયના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલા ની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવા.

એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો ઢાંકલીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!