સંતરામપુરમાં ધાર્મિક સ્થળો તેમજ ફરવા લાયક સ્થળ પાસે સાફ સફાઈનો અભાવ…..         

Editor Dahod Live
2 Min Read

ઈલિયાશ શેખ :- સંતરામપુર 

સંતરામપુરમાં ધાર્મિક સ્થળો તેમજ ફરવા લાયક સ્થળ પાસે સાફ સફાઈનો અભાવ…..         

સાફ-સફાઈ ના નામે પાલિકા નું તંત્ર ખાડે ગયું:જાહેરમાં લોકો કરી રહ્યા છીએ શૌચક્રિયા,

સંતરમપુર તા.18

 સંતરામપુર લુણાવાડા રોડ પાસે પાલિકા દ્વારા બનાવવામાં આવેલું બગીચો અને તેની બાજુમાં જ ધાર્મિક સ્થળ ભુનેશ્વરી માતાનું મંદિર જ્યાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અહીંયા ચારે ગંદકી કરીલી જોવાય રેલી છે આ જગ્યાએ ના દર્શન કરવા જગ્યા તેવી પરિસ્થિતિ જોવાયેલી છે કે ના બગીચામાં બેસી શકાય ચારેય બાજુથી દુર્ગંધ ફેલાયેલું છે ખુલ્લામાં જ લોકો અહીંયા સોસ ક્રિયા અને લઘુ શંકા કરતા હોય છે આવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે આ એવો જ એક જ બગીચો છે કે જ્યાં નાના બાળકોને લઈને ફરવા માટે આવતા હોય છે અને કાર્યરત કે એ પણ અહીંયા ખંડેર અવસ્થામાં અને સફાઈ નો અભાવ જોવા મળેલો છે કોઈ પણ પ્રકારનો અહીંયા પાલિકા દ્વારા ધ્યાન રાખવામાં આવતું જ નથી ભૂમિસ્વરી માતાનું મંદિર જે સૌથી જૂનું છે અહીંયા સવાર સાંજ દર્શન માટે આવતા હોય છે પરંતુ આવી ગંદકીના કારણે દર્શનનો પણ લાભ લઇ શકતા નથી સ્વચ્છતા નો અભાવ પણ જોવા મળી આવેલો છે સ્વચ્છતા પાછળ રકમ પણ ખર્ચ કરવા છે તેમ છતાં આ જગ્યાએ સફાઈ કરવામાં આવતી નથી બગીચામાં ફરવા આવતા અને દર્શન કરવા આવતા લોકોમાં આવી પરિસ્થિતિની લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળેલો છે કે પાલિકા કોઈપણ પ્રકારનું દેખરેખ રાખતી નથી જાહેર હિત જુઓ અહીંયા કંઈ જોવાતું જ નથી આ સ્થળ પાસે સફાઈ કરવામાં આવે અને સ્વચ્છતા રાખવામાં આવે અને બગીચાને સારી રીતે જાળવણી માટે રાખવામાં આવે તેવા લોકો માંગ ઉઠી છે.

Share This Article