
રાજેન્દ્ર શર્મા @ દાહોદ
કોરોના વાઈરસના ખતરાને જોતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા જનતા કરફ્યુને શહેર સહીત જિલ્લાવાસીઓએ પ્રચંડ જન સમર્થન સાથે વધાવી લીધો,શહેર સહીત જિલ્લો જડબેસલાક બંધ રહેવા પામ્યો, મધ્યપ્રદેશ રાજસ્થાન તરફથી આવેલા મુસાફરો વાહનોના અભાવે રઝળ્યા, જનતા કર્ફ્યુ દરમિયાન સેવાભાવી સંસ્થા તેમજ સામાજિક કાર્યકરોએ જરૂરતમંદ લોકો સુધી ફૂડપેકેટો તેમજ ખાણીપીણીની વસ્તુઓ આપી માનવતાને મહેકાવી,પોલિસ તંત્ર, 
આરોગ્ય વિભાગ તેમજ દાહોદ શહેર સહીત જિલ્લાના તમામ ખાનગી હોસ્પિટલ તેમજ તેમનો સ્ટાફે સ્ટેન્ડ ટુ રહી પુરી નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી