Thursday, 26/06/2025
Dark Mode

 રાજેન્દ્ર શર્મા @ દાહોદ 

કોરોના વાઈરસના ખતરાને જોતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા જનતા કરફ્યુને શહેર સહીત જિલ્લાવાસીઓએ પ્રચંડ જન સમર્થન સાથે વધાવી લીધો,શહેર સહીત જિલ્લો જડબેસલાક બંધ રહેવા પામ્યો, મધ્યપ્રદેશ રાજસ્થાન તરફથી આવેલા મુસાફરો વાહનોના અભાવે રઝળ્યા, જનતા કર્ફ્યુ દરમિયાન સેવાભાવી સંસ્થા તેમજ સામાજિક કાર્યકરોએ જરૂરતમંદ લોકો સુધી ફૂડપેકેટો તેમજ ખાણીપીણીની વસ્તુઓ આપી માનવતાને મહેકાવી,પોલિસ તંત્ર, આરોગ્ય વિભાગ તેમજ દાહોદ શહેર સહીત જિલ્લાના તમામ ખાનગી હોસ્પિટલ તેમજ તેમનો સ્ટાફે સ્ટેન્ડ ટુ રહી પુરી નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી 

 

દાહોદ તા.૨૨
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે એટલે કે, ૨૨મી માર્ચના રોજ જનતા કર્ફર્યુની જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી. આ જનતા કર્ફ્યુનું દાહોદ શહેર સહિત જિલ્લામાં ચુસ્તપણે લોકો દ્વારા પાલન કરવામાં આવ્યું હતુ.આખુ દાહોદ શહેર સહીત જિલ્લો સવારથી જ જડબેસલાક બંધ રહેવા પામ્યું હતુ. રસ્તાઓ સુમસામ, શેરી મહોલ્લા સુમસામ, સોસાયટીઓ વિગેરે જેવા વિસ્તારોમાંં આજે લોકોએ જનતા કર્ફયુનું પાલન કરી કોરોના સામે લડત આપવા સહભાગી બન્યા હતા.
આખા વિશ્વમાં જ્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવી મુક્યો છે ત્યારે ભારત દેશમાં પણ કોરોનાએ પગ પેસારો કરતાં ભારત સરકારનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યુની અપીલ કરતાં આજરોજ સમગ્ર દેશમાં સન્નાટાનો માહોલ જોવા મળ્યો હતો. દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ જનતા કર્ફ્યુંનું પાલન કરતાં લોકો નજરે પડ્યા હતા. સવારથી જ લોકોએ પોતાના ઘરમાં જ રહેવાનો આગ્રહ રાખતા કોઈપણ વગર કામે ઘરની બહાર જવાનું ટાળતાં શહેર સહિત જિલ્લાના રસ્તાઓ સુમસામ નજરે પડ્યા હતા. બીજી તરફ શહેરના બજારો પણ સજ્જડ બંધ રહેતા માહોલ સંપુર્ણ પણે કર્ફ્યુંમાં ફેલાયો હતો. શહેરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

મધ્યપ્રદેશ રાજસ્થાન તરફથી આવેલા મુસાફરો વાહનોના અભાવે રઝળ્યા

દાહોદ શહેરને અડીને આવેલ સરહદી વિસ્તાર એટલે કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આદિવાસી ભાઈ – બહેનો દાહોદ ખાતે આવવા રવાના થયા હતા ત્યારે જનતા કફ્યુના પગલે આજે તેઓ પણ અટવાયા હતા. શહેરના બસ સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશને પણ જનતા કફ્યુનો માહૌલ જોવા મળ્યો હતો. પ્રરપ્રાંતમાંથી આવેલ કેટલાક લોકો દાહોદ શહેરમાં અટવાયા હતા. રેલ્વે વ્યવહાર તેમજ વાહન વ્યવહાર ઠપ્પ રહેવા કારણે તેઓ પોતાના વતન ખાતે જવામાં અટવાયા હતા અને શહેરમાં જ રોકાયા હતા.

જનતા કર્ફ્યુ દરમિયાન સેવાભાવી સંસ્થા તેમજ સામાજિક કાર્યકરોએ જરૂરતમંદ લોકો સુધી ફૂડપેકેટો તેમજ ખાણીપીણીની વસ્તુઓ આપી માનવતાને મહેકાવી

કેટલાક રામરોટી મંડળ, ભારતીય પત્રકાર સંઘ,સંસ્કાર સોશ્યલ ગ્રુપ,આદ્યશક્તિ ગ્રુપ જેવા સેવાભાવી સંગઠનો દ્વારા જરૂરિયાતમંદ  મુસાફરોને ભોજન તેમજ ખાણીપીણી સહીતની પણ વ્યવસ્યા પુરી પાડી માનવ મહેકનું ઉમદુ ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ.ઘરમાં અને પરિવારમાં જનતા કર્ફ્યુમાં જાડાયેલા લોકોએ પોતાના જ ઘરમાં મનોરંજન સહિત ટીવી કાર્યક્રમો નીહાળી ભય મુક્ત રહેવાના પ્રયાસો કર્યા હતા અને આખો દિવસ ઘરમાં જ રહી જનતા કર્ફયુનું પાલન કરતાં જોવા મળ્યા હતા.

પોલિસ તંત્ર અને આરોગ્ય વિભાગ તેમજ દાહોદ શહેર સહીત જિલ્લાના તમામ હોસ્પિટલ સ્ટેન્ડ ટુ રહી પુરી નિષ્ઠાથી ફરજ નિભાવી 

જનતા કર્ફ્યુ દરમિયાન શહેરમાં પોલિસ જવાનોએ દ્વારા 300 ઉપરાંત પોઇન્ટ ઉપર ખડેપગે રહી પુરી નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી હતી, આરોગ્ય વિભાગ દ્વારા પણ જિલ્લાભરમાં એલર્ટ મોડ માં રહી પોતાની ફરજ નિભાવી હતી.તેમજ શહેરના ખાનગી દવાખાનાઓ તેમજ હોસ્પીટલ પણ તમામ ઈમરજન્સીને પહોંચી વળવા સજજ જોવાયું હતું

error: Content is protected !!