Friday, 29/03/2024
Dark Mode

કોરોના સામે જંગ:દાહોદ શહેર સહીત જિલ્લામાં “જનતા કર્ફ્યુ”ને પ્રચંડ પ્રતિસાદ

કોરોના સામે જંગ:દાહોદ શહેર સહીત જિલ્લામાં “જનતા કર્ફ્યુ”ને પ્રચંડ પ્રતિસાદ

રાજેન્દ્ર શર્મા @ દાહોદ ડેસ્ક  

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ સામે લડવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીએ “જનતા કર્ફ્યુ”ને શહેર સહીત જિલ્લાવાસીઓએ પ્રચંડ જનસમર્થનથી વધાવી લીધો હતો, દાહોદ શહેર સહીત જિલ્લાના બધાજ તાલુકા મથકો સવારથી જ જડબેસલાક બંધ રહ્યા,રાજસ્થાન મધ્યપ્રદેશ ઉપરાંત બહારગામથી આવેલા મુસાફરોને વાહન ન મળતા રઝળ્યા,સમાજ સેવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકોએ જરૂરતમંદોને ફૂડપેકેટ તેમજ ખાણીપીણીની વસ્તુઓ આપી માનવતાની મહેક પ્રસરાવી,પોલિસ તંત્ર, આરોગ્ય તંત્ર સહીત ખાનગી હોસ્પિટલોએ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડ ટુ રહ્યા 

દાહોદ તા.૨૨

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે એટલે કે, ૨૨મી માર્ચના રોજ જનતા કર્ફર્યુની જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી. આ જનતા કર્ફ્યુનું દાહોદ શહેર સહિત જિલ્લામાં ચુસ્તપણે લોકો દ્વારા પાલન કરવામાં આવ્યું હતુ. આખુ દાહોદ શહેર સહીત જિલ્લાના

ગરબાડા, લીમખેડા,ધાનપુર,દે.બારીયા, ઝાલોદ,લીમડી,સુખસર, ફતેપુરા, સંજેલી, તેમજ સીંગવડ તાલુકા મથકો સવારથી જ જડબેસલાક બંધ રહેવા પામ્યા હતા. જિલ્લાના રસ્તાઓ સુમસામ, શેરી મહોલ્લા સુમસામ, સોસાયટીઓ વિગેરે જેવા વિસ્તારોમાંં આજે લોકોએ જનતા કર્ફયુનું પાલન કરી કોરોના સામે લડત આપવા સહભાગી બન્યા હતા.

આખા વિશ્વમાં જ્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવી મુક્યો છે ત્યારે ભારત દેશમાં પણ કોરોનાએ પગ પેસારો કરતાં ભારત સરકારનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યુની અપીલ કરતાં આજરોજ સમગ્ર દેશમાં સન્નાટાનો માહોલ જોવા મળ્યો હતો. દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ જનતા કર્ફ્યુંનું પાલન કરતાં લોકો નજરે પડ્યા હતા. સવારથી જ લોકોએ પોતાના ઘરમાં જ રહેવાનો આગ્રહ રાખતા કોઈપણ વગર કામે ઘરની બહાર જવાનું ટાળતાં શહેર સહિત જિલ્લાના રસ્તાઓ સુમસામ નજરે પડ્યા હતા. બીજી તરફ શહેરના બજારો પણ સજ્જડ બંધ રહેતા માહોલ સંપુર્ણ પણે કર્ફ્યુંમાં ફેલાયો હતો. શહેરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

રાજસ્થાન મધ્યપ્રદેશ ઉપરાંત બહારગામથી આવેલા મુસાફરોને વાહન ન મળતા રઝળ્યા 

દાહોદ શહેરને અડીને આવેલ સરહદી વિસ્તાર એટલે કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આદિવાસી ભાઈ – બહેનો દાહોદ ખાતે આવવા રવાના થયા હતા ત્યારે જનતા કફ્યુના પગલે આજે તેઓ પણ અટવાયા હતા. શહેરના બસ સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશને પણ જનતા કફ્યુનો માહૌલ જાવા મળ્યો હતો. પ્રરપ્રાંતમાંથી આવેલ કેટલાક લોકો દાહોદ શહેરમાં અટવાયા હતા. રેલ્વે વ્યવહાર તેમજ વાહન વ્યવહાર ઠપ્પ રહેવા કારણે તેઓ પોતાના વતન ખાતે જવામાં અટવાયા હતા અને શહેરમાં જ રોકાયા હતા.

સમાજ સેવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકોએ જરૂરતમંદોને ફૂડપેકેટ તેમજ ખાણીપીણીની વસ્તુઓ આપી માનવતાની મહેક પ્રસરાવી   

ભારતીય પત્રકાર સંઘ (AIJ), રામરોટી મંડળ, સંસ્કાર સોશ્યલ ગ્રુપ, આધા શક્તિ ગ્રુપ જેવા સેવાભાવી સંગઠનો તેમજ સેવાભાવી કાર્યકરો દ્વારા આવા મુસાફરોને ભોજનની પણ વ્યવસ્યા પુરી પાડી માનવ મહેકનું ઉમદુ ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ.ઘરમાં અને પરિવારમાં જનતા કર્ફ્યુમાં જાડાયેલા લોકોએ પોતાના જ ઘરમાં મનોરંજન સહિત ટીવી કાર્યક્રમો નીહાળી ભય મુક્ત રહેવાના પ્રયાસો કર્યા હતા અને આખો દિવસ ઘરમાં જ રહી જનતા કર્ફયુનું પાલન કરતાં જોવા મળ્યા હતા.

 પોલિસ તંત્ર, આરોગ્ય તંત્ર સહીત ખાનગી હોસ્પિટલોએ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડ ટુ રહ્યા

દાહોદ શહેરમાં પોલિસ તંત્રે ખડેપગે હાજર રહી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી.આરોગ્ય તંત્રે જિલ્લાભરમાં એલર્ટમોડમાં રહી પોતાની ફરજ અદા કરી સાચી સેવા કરી હતી ત્યારે ખાનગી હોસ્પિટલવાળા પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હતા.

———————————————————-

About Author

Editor Dahod Live

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!