વસાવે રાજેશ દાહોદ
યુવા ઉત્સવ ૨૦૨૨નો કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ સાથે ઇન્ડિયા @૨૦૪૭ નાં વિજન માટેનો યુવા સંવાદ
યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર હસ્તક નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા સંપૂર્ણ ભારતમાં યુવા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગ રૂપે દાહોદ ખાતે યુવા ઉત્સવ યોજાવવામાં આવ્યું. જેમાં વિવિધ સ્પર્ધાઓ સાથે ઇન્ડિયા @૨૦૪૭ નાં વિજન માટે યુવાનો દ્વારા સંવાદ કરવામાં આવ્યું હતું.
યુવા ઉત્સવનાં ભાગ રૂપે વકતૃત્વ, ચિત્રકલા, મોબાઈલ ફોટોગ્રાફી, કવિતા રચના અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે યુવા સંવાદ પણ ગોઠવવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં જીલ્લાનાં દૂર દરાજનાં ગામોથી પણ યુવાનો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને ઉત્સાહ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
યુવા સંવાદ નો વિષે ઇન્ડિયા @૨૦૪૭ ની કલ્પના સાથે જોડાયેલા મેન્ટર શ્રી આનંદપ્રકાશ પુરોહિત, શ્રી મુન્ના યાદવજી, શ્રી મૌલિક ક્ષત્રિય, અહી નિમલ શેઠ, અને શ્રી ડી.વી. પટેલ દ્વારા સરસ ભૂમિકા પૂર્ણ કરવા આવી અને યુવાનો સાથે સંવાદમાં સહભાગી થયી ને ઇન્ડિયા @૨૦૪૭ નાં વિજન નાં ભાગ રૂપે માર્ગદર્શન કરવામાં આવ્યું.