Saturday, 27/07/2024
Dark Mode

દાહોદમાં રાજપુત સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે સામુહિક  શસ્ત્રપુજા સમારોહનું આયોજન કરવામાં આવ્યુ

દાહોદમાં રાજપુત સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે સામુહિક  શસ્ત્રપુજા સમારોહનું આયોજન કરવામાં આવ્યુ

દાહોદ ડેસ્ક તા.૦૮
દાહોદ શહેરમાં દાહોદ જિલ્લા ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા આજરોજ દશેરા પર્વ નિમિત્તે સામુહિક  શસ્ત્રપુજા સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શસ્ત્રપુજા બાદ દાહોદ શહેરમાં બાઈક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. આ રેલી શહેરના વિવિધ માર્ગાે પર ફરી બાદમાં નિર્ધારિત સ્થાને પહોંચી હતી.
દશેરા પર્વ નિમિત્તે દાહોદ જિલ્લા ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટ – ૨, જુના ઈન્દૌર હાઈવે રોજ,દાહોદ ખાતે  શસ્ત્રપુજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓ, ગામે ગામથી રાજપુત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કરણી સેનાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જનમેદનીને સંબોધન કર્યું હતુ. શસ્ત્ર  પુજન બાદ દાહોદ શહેરમાં સમાજના આગેવાની હેઠળ ભવ્ય બાઈક રેલી કાઢવામાં આવી હતી. રેલી શહેરના વિવિધ માર્ગાે પર ફરી પર નિર્ધારિત સ્થાને પહોંચી હતી. આ કાર્યક્રમના અંતે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!