Friday, 29/03/2024
Dark Mode

દાહોદમાં કોરોના કેસોનો સિલસિલો યથાવત:આજના નવા 18 દર્દીઓના ઉમેરા સાથે 194 એક્ટિવ કેસો હોસ્પિટલમાં:વધુ 2 દર્દીઓના મોત

દાહોદમાં કોરોના કેસોનો સિલસિલો યથાવત:આજના નવા 18 દર્દીઓના ઉમેરા સાથે 194 એક્ટિવ કેસો હોસ્પિટલમાં:વધુ 2 દર્દીઓના મોત

  નીલ ડોડીયાર, દાહોદ 

દાહોદ તા.14

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે.આજરોજ rtpcr તેમજ રેપિડ ટેસ્ટ મળી નવા 18 કેસોના વધારા સાથે કોરોનાનો કુલ આંક 848 પર પહોંચવા પામ્યો છે.જોકે 26 દર્દીઓ કોરોનામુક્ત થવા પામ્યા છે.જ્યારે વધુ બે દર્દીઓના મોત થતાં હાલ 194 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

વધુ મળતી માહિતી મુજબ આરોગ્ય વિભાગે કુલ 901 સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા તે પૈકી 183 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જ્યારે (1)રીતેશભાઈ મનોહર લાલ સોની (રહે.ગરબાડા) ઉં.વર્ષ.40, (2)સુરેખાબેન દિનેશભાઈ પારગી (આદિવાસી સોસાયટી,લીમડી)ઉં.વર્ષ 45,(3) દિનેશભાઈ સોમાભાઈ પારગી (રહે.આદિવાસી સોસાયટી, લીમડી) ઉં.વર્ષ. 55,(4)પ્રકાશચંદ્ર ઝવેરીલાલ શાહ(5) મધુકાંતબેન રજનીકાંત શાહ(રહે.દેસાઈવાડ) ઉં.વર્ષ 82,(6) જશવંતભાઈ અમૃતલાલ પંચાલ (રહે.વિશ્વકર્મા સોસાયટી)ઉં.વર્ષ 60,(7)ડામોર મહેશકુમાર રકમભાઈ (રહે.ડામોર ફળિયું)ઉં.વર્ષ19, (8)બારીયા શર્મિષ્ઠાબેન કમલેશભાઈ, (રહે.બારીયા ફળીયુ) ઉ.વર્ષ.30,(9)સંગાડા ભાવિનભાઈ રામજીભાઈ (રહે.ઉકરડી રોડ)ઉ.વર્ષ.32 જ્યારે રેપિડ ટેસ્ટમાં (1) શિલ્પાબેન એમ.દેસાઈ રહે.દેસાઈવાડ છેલ્લું ફળિયું ઉ વર્ષ.58, (2) મહેન્દ્રભાઇ નાથાલાલ મોઢીયા રહે.દોલતગંજ બજાર ઉ.વર્ષ 61,(3) શાંતાબેન દશરથભાઈ બારીયા રહે.ગૌશાળા દાહોદ ઉ.વર્ષ.61, (4)ખિલાન મુકેશભાઈ પંચાલ દોલતગંજ બજાર ઉ.વર્ષ 30,(5)ફાતિયાં મનન માવી રહે.વણભોરી દાહોદ,ઉ.વર્ષ.28,(6)અમૃતબાઇ માંગીલાલ પ્રજાપતિ,ઉ.વર્ષ 32,(7)જયશ્રીબેન અમૃતભાઈ રહે. કુભાર ફળીયુ (સંજેલી)ઉ.વર્ષ.26(8)મમતાબેન શાંતિભાઈ લબાના રહે.બલૈયા,(ફતેપુરા)ઉ.વર્ષ.35,(9) મહેશભાઇ રામાભાઇ મોરી પડાવ ફળિયા લીમડી ઝાલોદ ઉ.વર્ષ.40 મળી કુલ 18 કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો થવા પામ્યો છે.જ્યારે હાલ 442 લોકોના રિપોર્ટ પેન્ટિંગ હોવાથી તેઓની રાહ જોવાઇ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરી જે તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારોમાં સેનેટાઈઝ સહિતની કામગીરી પુરજોશમાં શરૂ કરી વધુ ને વધુ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.કોરોના કાળમાં અત્યાર સુધીમાં કુલ 52 લોકો કાળનો શિકાર બન્યા છે.

error: Content is protected !!