Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોનો સિલસિલો યથાવત:આજના 27 નવા કેસોના વધારા સાથે કોરોનાનો કુલ આંક 732 પર પહોંચ્યો:એકનું મોત

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોનો સિલસિલો યથાવત:આજના 27 નવા કેસોના વધારા સાથે કોરોનાનો કુલ આંક 732 પર પહોંચ્યો:એકનું મોત
   જીગ્નેશ બારીયા, દાહોદ/હિરેન પંચાલ, ઝાલોદ 

દાહોદ તા.08

દાહોદ જિલ્લામાં આજરોજ કોરોનાના 27 નવા દર્દીઓનો દિવસોમાં કોરોનાએ દાહોદ શહેરની સાથે આસપાસના તાલુકા મથકમાં પગપેસારો કરતા તાલુકા મથકોથી રોજના સંખ્યાબંધ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ સહીત વહીવટી તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.જોકે આજરોજ નવા ઉમેરાયેલા 27 દર્દીના સાથે કોરોનાનો કુલ આંક 732 પર પહોંચવા પામ્યો છે.જ્યારે વધુ 31 દર્દીઓ કોરોનામુક્ત થતાં હાલ 227 એક્ટિવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જોકે એક મહિલાનું કોરોનાનો રિપોર્ટ આવે તે પહેલ તેનું મૃત્યુ થયાંના અહેવાલ પણ પ્રાપ્ત થયાં છે.
વધુમાં મળતી માહિતી મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે rtpcr માં કુલ 140 તેમજ રેપિડના 324 સેમ્પલો મળી કુલ 462 સેમ્પલો ચકાસણી અર્થે મોકલ્યા હતા. તે પૈકી 435 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે
(૧) રાજેન્દ્ર લક્ષ્મીનારાયણ લખારા (ઉવ.૪પ રહે. લીમખેડા દાહોદ),(ર) નંદકિશોર જયરામભાઈ યાદવ (ઉવ.૬૮ રહે. યાદવ ચાલ બસ સ્ટેશન),(૩) રમીલાબેન રમેશભાઈ ગોહીલ (ઉવ.૬૦ રહે. મોટા ડબગરવાડ દાહોદ),(૪) લીલાબેન રમણભાઈ પ્રજાપતિ (ઉવ.પપ રહે. લીમડી ઝાલોદ),(પ) વજેસીંગ પાંગળાભાઈ મીનામા (ઉવ.૪૧ રહે. ખજુરીયા ગરબાડા), (૬) હિતેશભાઈ જીવનલાલ ગજ્જર (ઉવ.પર રહે. અંકુર સોસાયટી દાહોદ),(૭) ફાતેમાબેન મોહમદભાઈ સમાદ (ઉવ.પર રહે. મોટી બાંડીબાર લીમખેડા),(૮) લખારા પ્રકાશકુમાર અમૃતલાલ (ઉવ.પપ રહે. ઝાલોદ રોડ લીમખેડા),(૯) લખારા નીરૂબેન પ્રકાશકુમાર (ઉવ.પ૦ રહે. ઝાલોદ રોડ), (૧૦) લખારા પ્રજ્ઞેશકુમાર પ્રકાશભાઈ (ઉવ.૪૦ રહે. ઝાલોદ રોડ),(૧૧) લખારા રાકેશકુમાર પ્રકાશકુમાર (ઉવ.૩૦ રહે. ઝાલોદ રોડ),(૧ર) લખારા તનીષા રાકેશભાઈ (ઉવ.રપ રહે. ઝાલોદ રોડ), (૧૩) લખારા રિષભભાઈ પ્રજ્ઞેશભાઈ (ઉવ.૧પ રહે. ઝાલોદ રોડ),(૧૪) લખારા કોકીલાબેન રાજેન્દ્રકુમાર (ઉવ.પ૪ રહે. ઝાલોદ રોડ), (૧પ) લખારા ચિરાગભાઈ રાજેન્દ્રકુમાર (ઉવ.રર રહે. ઝાલોદ રોડ),(૧૬) લખારા સતીષભાઈ લક્ષ્મીનારાયણ (ઉવ.૪૦ રહે. ઝાલોદ રોડ), (૧૭) પ્રજાપતિ પ્રતિક નટવરભાઈ (ઉવ.ર૦ રહે. પ્રજાપતિ વાસ ફળીયુ),(૧૮) ભાટીયા સંજય ચંદુભાઈ (ઉવ.ર૮ રહે. પ્રજાપતિવાસ ફળીયુ),(૧૯) નીનામા બેથાલબેન નિરંજનભાઈ (ઉવ.૪૪ રહે. રોજાેસપુર સોસાયટી),(ર૦) નિસરતા નિયતીબેન પર્તવભાઈ (ઉવ.૧૮ રહે. મંડળી ફળીયુ).જ્યારે રેપિડ ટેસ્ટમાં
(૧) સુરેન્દ્રસીંહ મધુસિંહ લબાના (ઉવ.૪૯ રહે. કારઠ ગામતળ ઝાલોદ),(ર) રાકેશભાઈ અરવીંદભાઈ મુનીયા (ઉવ.૧૯ રહે. સુથારવાસા ડોબાખોબ ફળીયુ ઝાલોદ),(૩) કમળાબેન છત્રસીંહ પરમાર (ઉવ.૪૩ રહે. નવાગામ પરમાર ફળીયું દાહોદ),(૪) કિશોરભાઈ દેસાઈ (ઉવ.૬૯ રહે. આમ્રપાલી સોસાયટી ગોવીંદનગર દાહોદ),(પ) હરેશભાઈ જી ત્રિપાઠી (ઉવ.૮૮ રહે. યાદગાર ચોક ગોધરા રોડ દાહોદ),(૬) અશ્વિનભાઈ રમણલાલ પંચાલ (ઉવ.૪૩ રહે. ઈંદોર રોડ રઘુનંદન દાહોદ),(૭) મેહુલકુમાર કિશોરભાઈ દેસાઈ (ઉવ.૪૧ રહે. આમ્રપાલી સોસાયટી ગોવીંદનગર દાહોદ).મળી કુલ 27 પોઝીટીવ કેસો નોંધાયા હતા. જોકે આજરોજ કોરોના સંક્રમિત આવેલા કેસોમાં લીમખેડામાં એક જ પરિવારના 9 સભ્યો મળી કુલ 11 કેસો, દાહોદ શહેરમાં 8,ઝાલોદમાં 6, ગરબાડામાં 3, સંજેલીના એક દર્દીનું સમાવેશ થયો છે.હાલ આરોગ્ય વિભાગે આજરોજ કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરી જે તે વિસ્તારોમાં સૅનેટાઇઝ સહિતની કામગીરી માં જોતરાઈ ગયા છે.જોકે કોરોના કાળમાં કુલ 47 લોકો મોતને ભેટ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.

ઝાલોદમાં કોરોના બેકાબુ:કોરોના સંક્રમિત કેસોએ સદી વટાવી:પંથકમાં ફફડાટફેલાયો

દાહોદ શહેરની સાથે રાજસ્થાનથી અડીને આવેલા ઝાલોદ તાલુકામાં કોરોના સંક્રમણ વધુ વકરવા પામ્યો છે. ઝાલોદ તાલુકામાં અગાઉ કોરોનાના 104 કેસો નોંધાયા હતા. જેમાં આજરોજ વધુ 6 કેસોના ઉમેરા સાથે કોરોનાના કુલ કેસોનો આંકડો 108 પર પહોંચ્યો છે.જેમાં 16 રિકવર થયા છે.46 દર્દીઓ આઇસોલેશનમાં છે.તેમજ હાલ 51એક્ટિવ કેસો કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જ્યારે ત્રણના મોત નિપજ્યા છે.

લીમખેડામાં એક જ પરિવારના 9 લોકો સંક્રમિત આવતા પંથકમાં ફફડાટ ફેલાયો 

લીમખેડા તાલુકામાં આજરોજ એક જ પરિવારના 9 લોકો કોરોના સંક્રમિત આવતા આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આજરોજ કોરોના સંક્રમિત આવેલા 27 દર્દીઓમાં લીમખેડા નગરના ઝાલોદ રોડના રહેવાસી પ્રકાશભાઈ અમૃતલાલ લખારા સહીત તેમના પરિવારના 9 વ્યક્તિઓ કોરોના સંક્રમિત આવતા આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે આરોગ્ય વિભાગે તે વિસ્તારને કાન્ટાઈનમેંટ ઝોન જાહેર કરી તેમના વિસ્તારમાં સેનેટાઇઝ સહિતની કામગીરી પરજૉશમાં શરુ કરી દીધી છે. અને તેઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે.

error: Content is protected !!