Friday, 29/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના 600 પાર:આજના નવા 17 કેસો મળી એક્ટિવ કેસોનો આંકડો 286 પર પહોંચ્યો:વધુ 24 કોરોના મુક્ત થયાં

દાહોદ જિલ્લામાં કોરોના 600 પાર:આજના નવા 17 કેસો મળી એક્ટિવ કેસોનો આંકડો 286 પર પહોંચ્યો:વધુ 24 કોરોના મુક્ત થયાં

    જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૦૧

દાહોદમાં આજે કુલ રેપિડ ટેસ્ટ તેમજ સેમ્પલો મળી કુલ 17 કોરોના દર્દીઓ સામે આવ્યા છે.આજના 17 કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ થતાં દાહોદ જિલ્લામાં કોરોનાએ 616 નો આંકડો પાર કરી દીધો છે.જેમાં આજરોજ 24 દર્દીઓ કોરોના મુક્ત થતાં અત્યાર સુધીમાં 294 લોકો કોરોના મુક્ત થવા પામ્યા છે.ત્યારે એક્ટીવ કેસની સંખ્યા 286 અને મૃત્યુઆંક 40 પર પહોંચ્યો છે. આમ, દાહોદમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો પ્રકોપ વધવા માંડ્યો છે.

આજના પોઝીટીવ દર્દીઓ પૈકી દાહોદ, તા.ર
૧) પરમેશ્વરીબેન ઈશ્વરલાલ કેવલાની (ઉવ.પ૮ રહે. ગોદી રોડ,દાહોદ), ર) કલાબેન જેન્તીભાઈ પ્રજાપતિ (ઉવ.પપ રહે. વરોડ ઝાલોદ), ૩) સીરાજ સૈફુદ્દીન કથીરીયા (ઉવ.૭ર ગોદી રોડ દાહોદ), ૪) ભરવાડ ભીમજી એમ (ઉવ.૩૮ રહે. ભરવાડ ફળીયુ, પંચેલા), પ) ભરવાડ પંકજ એ (ઉવ.ર૮ રહે. ભરવાડ ફળીયુ, પંચેલા), ૬) ભરવાડ બ્રીજેશ બી (ઉવ.૧પ રહે. ભરવાડ ફળીયુ, પંચેલા), ૭) અગ્રવાલ મુરલીભાઈ મગનલાલ (ઉવ.૬૪ રહે.ઝાલોદ લુહારવાડા ફળીયુ,તેમજ મોડી સાંજના વધુ 120 સેમ્પલ રેપિડ ટેસ્ટ આવતા 10 સેમ્પલો પોઝિટિવ આવ્યા હતા જેમાં જયસ્વાલ નગીનદાસ પંચાલ, પંચાલ શ્રુતિબેન દિનેશભાઈ, કેયુરભાઈ મિલનભાઈ શ્રીમાળી, પટેલ રુદ્ર ગૌરાંગ, ઇરમાલાબેન મહેન્દ્ર સોલાન, સબીરભાઈ સૈફુદ્દીન દલાલ, ઇલ્યાસ યુસુફ જીનીયા, તસનીમ અબ્બાસ ભાટીયા, નિલેશ સમદાસ પરમાર અને નરગીસ નિલેશ પરમાર, આમ દાહોદમાં આજે કુલ રેપિડ ટેસ્ટ મળી 17 કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થવા પામ્યો છે.હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેકિંગ કરી તેઓને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે

error: Content is protected !!