જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર @ દાહોદ
દાહોદ શહેરના ગોદી રોડ ખાતે એક પરણિત યુવતીના ઘરેથી બંન્ને ઝડપાયા, દાહોદ જિલ્લા ભાજપના યુવા મોરચાના મહામંત્રી ઈલુ ઈલુ કરતાં રંગેહાથે ઝડપાયા,ભાજપના રાજકીય આલમમાં શરમિંદગી સહિત ખળભળાટ મચી જવા પામ્યો
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી બાદલ અશોકકુમાર પંચાલ શહેરના ગોદી રોડ ખાતે રહેતી એક વ્હોરા સમાજની પરણિત યુવતી સાથે રંગરલીયા મનાવતો હતો.તે સમયે જેસાવાડા મુકામેથી દુકાનેથી યુવતીનો પતિ આવી જતાં સમગ્ર આ સમગ્ર મામલા પરથી પડદો ઉચકાઈ જતાં પતિ દ્વારા ઘરના દરવાજાને બહારથી જ તાળુ મારી દીધુ હતુ.અને બાદમાં આ બાબતની જાણ ઘરની અંદર રહેલી યુવતી અને બાદલ પંચાલને થતાં તેને બહાર ઉભેલી યુવતીના પતિને દરવાજા ખોલવાનું કહી, નહીં ખોલે તો પોતાના રાજકીય હોદ્દાની અને વગ તરફી ધમકી આપી અને યુવતીના પતિને મારી નાંખવાની ધમકી આપતા પતિ દ્વારા પોતાના સ્વજનો તેમજ પોલીસને બોલાવી તાળુ ખોલતા બાદલ પંચાલ અને પરણિત યુવતી બહાર આવ્યા હતા. સ્થળ પર ભારે ગરમાગરમીનો માહૌલ પણ સર્જાયો હતો. આ બાબતની જાણ શહેરના ભાજપના રાજકારણીઓ સહિત ભાજપના કાર્યકરોમાં થતાં તેઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. પરંતુ પરણિત યુવતીના પતિ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવાની જીદ પકડતા આ સંબંધે પતિ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે બાદલ પંચાલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા રાજકીય આલમ સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસ મથકે શહેરના ભાજપના રાજકીય અગ્રણીઓ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.અને બાદલ પંચાલને છોડવવા રાજકીય પક્ષો તરફથી ધમપછાડા થતાં હોવાનું પણ દેખાઈ રહ્યું હતુ.
દાહોદ જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી કહેવાતા એવા બાદલ અશોકકુમાર પંચાલના આજના કિસ્સાથી દાહોદના રાજકીય આલમ સહિત જિલ્લાવાસીઓમાં અનેક ચર્ચા સહિત લોકો અંચબામાં મુકાઈ ગયા છે. ભાજપને લાંછન લગાડતો આજનો કિસ્સો ટોક ઓફ ધી ટાઉન રહેવા પામ્યો છે. લોક સેવક જ જો પ્રજા તરફ ખરાબ નજરોથી જોશે તો બિચારી લાચાર પ્રજાની પડખે કોણ ઉભુ રહેશે? જેવા અનેક સવાલો અને ચર્ચાઓએ દાહોદ જિલ્લાવાસીઓમાં મન કરી બેઠુ છે.
દાહોદ જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી કહેવાતા એવા બાદલ અશોકકુમાર પંચાલના આજના કિસ્સાથી દાહોદના રાજકીય આલમ સહિત જિલ્લાવાસીઓમાં અનેક ચર્ચા સહિત લોકો અંચબામાં મુકાઈ ગયા છે. ભાજપને લાંછન લગાડતો આજનો કિસ્સો ટોક ઓફ ધી ટાઉન રહેવા પામ્યો છે. લોક સેવક જ જો પ્રજા તરફ ખરાબ નજરોથી જોશે તો બિચારી લાચાર પ્રજાની પડખે કોણ ઉભુ રહેશે? જેવા અનેક સવાલો અને ચર્ચાઓએ દાહોદ જિલ્લાવાસીઓમાં મન કરી બેઠુ છે.
