સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની મનમાની..કેસ બારી ખુલ્લી હોવા છતાં સમય પૂરો થઈ ગયો તેમ કહીને કાઢી મુક્યા…

Editor Dahod Live
2 Min Read

ઈલ્યાસ શેખ, સંતરામપુર 

 

સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની મનમાની..કેસ બારી ખુલ્લી હોવા છતાં સમય પૂરો થઈ ગયો તેમ કહીને કાઢી મુક્યા…

 

સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની મનમાનીથી દર્દીઓને કનગડત…

 

સંતરામપુર નજીક આવેલા આનંદપુરીના દર્દીને પડેલી હાલાકી વહીવટીમાં અભાવ સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં સરકાર દ્વારા સરકાર દ્વારા ગરીબ આદિવાસી ગામડામાંથી આવતા દર્દીઓને મફતમાં સારવાર થઈ શકે તેના હેતુથી તાલુકા લેવલ અને ગામડા લેવલે હોસ્પિટલો બાંધવામાં આવે છે પરંતુ સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફના અભાવે અને જીએનએમ કરતા નર્સિંગમાં બાળકો સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં સેવા આપતા હોય છે અને વિવિધ પ્રકારની કામગીરી કરતા હોય છે આજે જીએનએમ ની વિદ્યાર્થી કેસ બારી પર બેસાડવામાં આવે છે દર્દી કેસ કઢાવવા આવેલા તેમને જણાવેલું કે સમય પૂરો થઈ ગયો સાંજે ચાર વાગે આવજો તેવો જવાબ આપતા પરંતુ એક જાગૃત નાગરિક આ બાબત સાંભળી રહેલા અત્યારે જણાવેલું કે બહારથી આવેલા દર્દી ક્યાંથી બેસે તાત્કાલિક દર્દીને તાત્કાલિક વિભાગમાં સારવાર કરી દવા આપવામાં આવી પરંતુ આ સ્ટેટ હોસ્પિટલમાં દર્દીઓ માટે સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે સૂચનાને જાણકારી ન હોવાના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે પરંતુ સરકારના નિયમ મુજબ દરેક જગ્યાએ દર્દીઓને સારવાર કરવા માટે 24 કલાક સરકારી હોસ્પિટલો પીએસસી સબ સેન્ટર ખુલ્લા રાખવાનો નિયમ હતો હોય છે આ રીતે દર્દીઓને હાલાકી ભોગવી પડતી હોય છે

Share This Article