Friday, 29/03/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના નાનીભૂગેડી ગામમાં બાળકની હત્યાં કરાયેલી લાશના બનાવમાં મૃતકના વાલી વારસને શોધી કાઢતી પોલીસ

September 17, 2022
        4479

ઇલ્યાસ શેખ, સંતરામપુર

સંતરામપુર તાલુકાના નાનીભૂગેડી ગામમાં બાળકની હત્યાં કરાયેલી લાશના બનાવમાં મૃતકના વાલી વારસને શોધી કાઢતી પોલીસ

 

સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે માસુમ બાળકને કરેલી હત્યાનો સંતરામપુર પોલીસે અલગ અલગ ટીમ બનાવીને માસુમ બાળકના વાલી વારસદારને આખરે પોલીસને શોધી કાઢ્યા…

 

સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે માસુમ બાળકની ચાર વર્ષના ખેતરમાં પથ્થરના ઘા કરીને હત્યા કરીને નાખી દેવામાં આવેલો હતો સંતરામપુર પોલીસ સ્ટેશનમાં આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ ઘટના થતા પોલીસે ગણતરીના કલાકોમાં માસુમ બાળકના પરિવારોને શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમ બનાવીને શોધખોળ શરૂ કરી દીધી હતી અને આરોપી તથા મરણ જનનાર તપાસ કરી કરાવતા અજાણ્યા બાળક નો ફોટો સોશિયલ મીડિયામાં મારફતે આજુબાજુના ગામડાઓમાં તથા દાહોદ જિલ્લાના અને આજુબાજુ તાલુકા માં મોકલી આપતા સંજેલી તાલુકાના ભામણ ગામેથી મરણ જનનાર બાળકના વાલી વારસની તેમના બાળકના પરિવારો માહિતી મળતા તોય સંતરામપુર પોલીસ સ્ટેશન બોલાવીને બાળકની મૃતદેહ ઓળખ કરવામાં જનાર નામ ચાર વર્ષનો માસુમ બાળક તેનું નામ પ્રિન્સ કુમાર અનિલભાઈ તડવી મૂળ રહેવાસી છાપરી તાલુકો શિંગવાડ જીલ્લો દાહોદ મૃતદેહ નું ઓળખ થતા પંચનામુ કરી પોલીસે તેમના પરિવારની સોંપેલું હતું તેમના પરિવારે વતનમાં લઈ જઈને વિધિ પતાવેલી હતી અને હજુ પણ સંતરામપુર પોલીસ આરોપીને શોધવા માટે સતત પ્રયાસો ચાલી રહેલા છે પરંતુ આ ઘટનામાં નવો વળાંક પણ આવી શકે છે રહસ્ય અકબંધ ટોક એન્ડ ટાઉન બનવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!