Thursday, 28/03/2024
Dark Mode

લીમખેડા તાલુકામાં બોગસ આદિજાતિ પ્રમાણપત્ર ના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર મામલતદારને સોંપ્યું.

September 21, 2022
        2233

ગૌરવ પટેલ, લીમખેડા

 

લીમખેડા તાલુકામાં બોગસ આદિજાતિ પ્રમાણપત્ર ના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર મામલતદારને સોંપ્યું.

લીમખેડા તા.૨૧

 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના લોકોને અન્યાય બાબતે તેમજ અનુસુચિત જનજાતિના ખોટા પ્રમાણ પત્ર લેનાર અને આપનારને કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે લીમખેડાના આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર માંગ સાથે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ ને સંસંબોધીને લીમખેડા મામલતદારને આવેદન એનાયત કરી પ્રમાણ પત્ર લેનાર અને આપનાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

લીમખેડાના આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ દ્વારા ૦૬/૦૯/૧૯૫૦ અને ૨૯/૧૦/૧૯૫૬ ના મોડીફાઈડ નોટિફિઈડનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે અને કેન્દ્ર સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે ખોટી રીતે ૧૪/૯/૨૨ ના રોજ ૧૨ જેટલી બીન આદિવાસી સમાજ ના લોકોને આદિવાસી સમાજમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેને તાત્કાલિક ધોરણે રદ્દ કરવામાં આવે અને રબારી, ભરવાડ, અને ચારણ જાતિ ને આદિવાસી આદિવાસીમાંથી રદ્દ કરી આ જાતિ ઓ ને બક્ષીપંચમાં સમાવેશ કરવામાં આવે, આદિવાસી ના ખોટા પ્રમાણ પત્ર લઈ જે પણ ક્ષેત્રમાં ફરજ બજાવતા તમામ ના પ્રમાણ પત્ર રદ્દ કરવામાં આવે જેમની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા મા આવે,ગુજરાત સરકાર ના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ૦૪/૦૮/૨૨ ના રોજ ગેરબંધારણીય પરિપત્ર કરવામાં આવ્યો હતો જે રદ્દ કરવા મા આવે, તેમજ રાજ્ય સરકારે આપેલ ખોટા પ્રમાણપત્રો રદ કરવા અને પ્રમાણપત્રો લેનાર અને આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

ગીર, બરડા અને રબારી, ભરવાડ, ચારણ સમુદાયને આપેલ આદિજાતિના ખોટા પ્રમાણપત્ર ના વિરોધ બાબતે ફતેપુરા મામલતદાર ને આદિવાસી સમાજના આગેવાનોએ સાચા આદિવાસી તરીકે આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધીને આપ્યું હતું. આવેદનમાં જણાવેલ હકીકત અનુસાર તા. ૨૯/૧/૫૯ ના પ્રેસિડેન્સિયલ ઓર્ડરથી ગીર, બરડા અને આલોચના જંગલ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ, ચારણ જાતિઓ અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે. ઉપરાંત નેસ વિસ્તારમાં રહેતા હોય તે સિવાયના રબારી, ભરવાડ, ચારણ જાતિ ના લોકો એ રાજ્ય સરકારે ખોટા પ્રમાણપત્રો આપેલ છે તે રદ કરવા અને પ્રમાણપત્રોની નકલ અને આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા તેમ જ રાજ્ય સરકારે ૨૦૧૮ માં અનુસૂચિત જન જાતિના પ્રમાણપત્રો આપવા અને ખરાઈ કરવા કાયદો બનાવેલ છે પરંતુ નિયમ બનાવેલ નથી જે તાત્કાલિક અસરથી આખરે કરવા રજૂઆત કરી હતી અને ૨૦૧૮ મા અનુસૂચિત જનજાતિ ના ખોટા પ્રમાણ પત્ર લઈ પવેશ મેળવ્યો હતો જે ખરાઈ કટલરવ મા આવે, રબારી, ભરવાડ, ચારણ જાતિ ગીર, બરડા, અને અલગ સિવાયના બક્ષીપંચમા છે. આથી બારણા અને આલોચનાની ચારણ જાતિના બક્ષ બક્ષીપંચમાં સમાવેશ કરવા ભારત સરકારને દરખાસ્ત કરવા જણાવ્યું છે. ઉપરાંત આદિ જાતિ પ્રમાણપત્ર આપવા માટે કરવામાં આવેલ તમામ ગેરબંધારણીય તમામ ઠરાવો પરિપત્ર મૂળ અસરથી રદ કરવાની માંગણી સાથે આવેદન પત્ર એનાયત કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!