
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરાના કરોડીયા પૂર્વ ગામે બલૈયા રોડ ઉપર વીજ કરંટ લાગવાના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું.
ફતેપુરા તા.૧૨
આજે તારીખ 12 જુન 2023 ના રોજ ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે બલૈયા રોડ પર વીજ કરંટ લાગવાના કારણે એક રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજવા પામ્યું છે.જોકે આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં આ રાષ્ટ્રીય પક્ષી મોર નો મૃતદેહ ખુલ્લા ખેતરમાં પડેલો છે. ત્યારે ફતેપુરા વન વિભાગ અને લાગતા તંત્ર દ્વારા આ રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહની યોગ્ય અંતિમ વિધિ કરવામાં આવે તે ઇચ્છનીય છે.