
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાંથી વનવિભાગ તેમજ પ્રકૃતિ પ્રેમી દ્વારા 3 ફૂટના મગરનું રેસ્ક્યુ….
ફતેપુરા તાલુકાના સરસવાપૂર્વ ગામેથી વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યુ
સરસવા પૂર્વ ગામે ખેતરમાંથી ત્રણ ફૂટનો મગર મળી આવતા ગામવાસીઓમાં ભયનો માહોલ
ત્રણ ફૂટ ના બાળ મગરની ઉપસ્થિતિ: આસપાસમાં વધુ મગર હોવાની શક્યતા..
ફતેપુરા તાલુકામાં મગર ક્યાંથી આવ્યો? સળગતો સવાલ..
વન વિભાગની ટીમે મગરને રેસ્કયુ કરી મહીસાગર નદીમાં છોડાયું..
મગરની ઉંમર સાડા ત્રણ વર્ષનું અને ખોરાકની શોધમાં મહીસાગર તરફથી આવ્યો હોવાનું અનુમાન..
સુખસર,તા.29
ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામે આજરોજ વહેલી સવારના એક ખેડૂતના મકાન પાસે આવેલ ખેતરમાં મગરે દેખા દેતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.જેમાં સ્થાનિકોએ સુખસર તથા ફતેપુરા રેન્જ કચેરીના કર્મચારીઓને જાણ કરતા તાત્કાલિક સરસવાપૂર્વ ગામે જઈ મગરનો રેસક્યુ કરી તેને પકડી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.જ્યારે આ મગરને સહી સલામત કડાણા જળાશય યોજનામાં છોડી મૂકવામાં આવશે તેમ પણ જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામે મકવાણા ફળિયામાં રહેતા રમેશભાઈ રામાભાઈના ખેતરમાં આજરોજ સવારના સાતેક વાગ્યાના અરસામાં મકાઈના ખેતરમાં મગર જોવા મળતા આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા.અને મગરને જોતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.આ બાબતે તાત્કાલિક સુખસર તથા ફતેપુરા ખાતે આવેલ રેન્જ કચેરીના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી.જ્યારે રેન્જ કચેરીના કર્મચારીઓમાં આર. એફ.ઓ પી.જે.પરમાર,મનોજ રટોડા તથા કર્મચારીઓમાં રાજેન્દ્ર ડામોર સહિત પ્રકૃતિ મંડળના અશ્વિનભાઈ પટેલ તથા સ્ટાફ દ્વારા સરસ્વા પૂર્વગામે આવી મગરનો રેસક્યુ કરી મગરને ઝડપી પાડવામાં આવ્યો હતો.સલામત રીતે મગરને ઝડપી પાડવામાં આવ્યો હતો.અને ઝડપાયેલા મગરને કડાણા જળાશયમાં છોડવામાં આવશે તેમ આર.એફ.ઓ પી.જે.પરમાર દ્વારા જાણવા મળ્યું છે.
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મગર જેવા જળચર પ્રાણી છે.તેમજ પાડોશી જિલ્લા મહીસાગર માં પાનમ તેમજ મહીસાગર નદીમાં પુષ્કળ પ્રમાણમાં મગરોનો વસવાટ કરતા હોય છે.તેમજ મીઠા પાણીની સુગંધ આવે ત્યાં માનવ વસાહત તરફ ખેંચાઈ આવતા હોય છે.તેમજ આ ઝડપાયેલ મગર સાડા ત્રણ વર્ષનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. તેમજ અહીંયા ઝડપાયેલ મગર બાળ મગર હોવાનું જાણવા મળે છે.જ્યારે દાહોદ જિલ્લામાં મગર પકડવાનો આ પ્રથમ કિસ્સો છે. અને નજીકમાં મહીસાગર જિલ્લામાં કડાણા જળાશય યોજના આવેલી છે અને તેમાં મગર મોટી સંખ્યામાં છે.અને ત્યાંથી મગરો વરસાદી દિવસો દરમિયાન નદી તળાવમાં આવી જતા હોય છે.ત્યારે અન્ય નદી તળાવમાં મગરો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.તેમ રેન્જ ફોરેસ્ટ કચેરીના કર્મચારીઓ દ્વારા જાણવા મળ્યું છે.