શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે 14 પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત, યોજાયો
ફતેપુરા તા.25
ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે 14 પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુરત કરવામાં આવ્યું
વિસ્તરણ અધિકારી એમ વી બારીયા અને અ મ ઈ એસ જે ચૌહાણના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ગ્રામ પંચાયત ખાતે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ચૌદ આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ફતેપુરા તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકેની ફરજ બજાવતા એમ વી બારીયા અને અ.મ.ઈ.તરીકેની ફરજ બજાવતા એસ.જે ચૌહાણ ના વરદ હસ્તે આવાસોનું ખાતમુરત કરવામાં આવ્યું હતું તેમજ અધિકારીઓ દ્વારા ૪૫ જેટલા લાભાર્થીઓને ભેગા કરી
યોજનાકીય કામગીરી બાબતે સંપૂર્ણ માહિતી આપી સરકારી યોજના થી માહિતીગાર કરવામાં આવ્યા હતા તેમજ ફતેપુરા તાલુકામાં આવેલ વિવિધ ગ્રામ પંચાયતોમાં પંચાયતના સ્ટાફ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેથલ આવાસો ના ખાતમુહૂર્ત કરાવી આવાસ ની કામગીરીને વેગવંતી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે