Friday, 11/07/2025
Dark Mode

દાહોદમાં પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ

February 14, 2022
        1311
દાહોદમાં પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ

દાહોદમાં પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ

 પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

દાહોદ તા.14

દાહોદમાં પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ

 

શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે આજરોજ પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા દાહોદ શહેરમાં શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજા – અર્ચના સહિત ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શોભાયાત્રાએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.

આજરોજ ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતીની દાહોદના પંચાલના યુવક મંડળ દ્વારા ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ શહેરમાં ચેતના સોસાયટી ખાતે આવેલ ભગવાન શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી વિશ્વકર્મા ભગવાનનો કેસર દૂધથી અભિષેક, ભગવાનનું પૂજન, અલ્પાહાર તેમજ ત્યારબાદ બપોરના 12 : 15 કલાકે શ્રી વિશ્વકર્મા ભગવાનની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં સમાજના અગ્રણીઓ સહિત મહિલાઓ, પુરૂષો, વયોવૃધ્ધ તેમજ બાળકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રાએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. શોભાયાત્રામાં સરકારશ્રીનીની ગોવિડ – 19 ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. દરેકે માસ્ક પહેર્યુ હતું. શોભાયાત્રામાં સમાજની મહિલાઓએ રાસ ગરબાની રમઝટ જમાવી વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. શોભાયાત્રા શહેરના નિર્ધારિત માર્ગ પર ફરી પરત નીજ મંદિર ખાતે પહોંચી હતી. શોભાયાત્રા બાદ પ્રાસંગિક પ્રવચન, ધજાઆરોહણ, થાળ તથા મહાઆરતી અને ત્યાર બાદ સાંજના 5:00 મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદના પંચાલ સમાજ દ્વારા આજરોજ શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવની ધામધૂમપૂર્વક અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!