Saturday, 26/07/2025
Dark Mode

દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ, પ્રકૃતિ સાથે મનુષ્યના ભવિષ્યને સુનિશ્ચિત કરીએ* *પ્રકૃતિના મૂળભુત ૫ પંચામૃત* *દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરાતી પ્રાકૃતિક ખેતી*

July 22, 2025
        5440
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ, પ્રકૃતિ સાથે મનુષ્યના ભવિષ્યને સુનિશ્ચિત કરીએ*  *પ્રકૃતિના મૂળભુત ૫ પંચામૃત*  *દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરાતી પ્રાકૃતિક ખેતી*

રાજેશ વસાવે :- દાહોદ 

*દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ, પ્રકૃતિ સાથે મનુષ્યના ભવિષ્યને સુનિશ્ચિત કરીએ*

*પ્રકૃતિના મૂળભુત ૫ પંચામૃત*

*દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરાતી પ્રાકૃતિક ખેતી*

દાહોદ તા. ૨૨ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ, પ્રકૃતિ સાથે મનુષ્યના ભવિષ્યને સુનિશ્ચિત કરીએ* *પ્રકૃતિના મૂળભુત ૫ પંચામૃત* *દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરાતી પ્રાકૃતિક ખેતી*

*પ્રાકૃતિક ખેતી અને તેના ફાયદા*

– પાકની વૃદ્ધિ માટે જરૂરી ઇનપુટ( ખેત સામગ્રી) બહારથી ન લેતાં, પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ બનાવવાની હોઈ રસાયણનો ઉપયોગ નહિવત હોય છે.

– ભૂમીની ભેજ સંગ્રહ ક્ષમતા વધે 

– ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો

– માત્ર એક દેશી ગાયના ગોબર-ગૌમૂત્ર થી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે

– નહીવત ઉત્પાદન ખર્ચ/રસાયણમુક્ત ખેત પેદાશ/વધારે ભાવ

– પાણી અને વિજળીની બચત, મિત્ર કીટક અને મધમાખીનું રક્ષણ

– પર્યાવરણ, માનવીય સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિનું રક્ષણ, પોષણ અને સંવર્ધન

– ગામ અને દેશ સ્વાવલંબનનું નિર્માણ

*પ્રાકૃતિક ખેતીના પંચામૃત*

(૧) જીવામૃત 

(૨) બીજામૃત 

(૩) આચ્છાદન

(૪) વાફસા (ભેજ) 

(૫) જૈવ વૈવિધતા (મિશ્રપાક)

દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ, પ્રકૃતિ સાથે મનુષ્યના ભવિષ્યને સુનિશ્ચિત કરીએ* *પ્રકૃતિના મૂળભુત ૫ પંચામૃત* *દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરાતી પ્રાકૃતિક ખેતી* દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ, પ્રકૃતિ સાથે મનુષ્યના ભવિષ્યને સુનિશ્ચિત કરીએ* *પ્રકૃતિના મૂળભુત ૫ પંચામૃત* *દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરાતી પ્રાકૃતિક ખેતી* દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ, પ્રકૃતિ સાથે મનુષ્યના ભવિષ્યને સુનિશ્ચિત કરીએ* *પ્રકૃતિના મૂળભુત ૫ પંચામૃત* *દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરાતી પ્રાકૃતિક ખેતી* દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ, પ્રકૃતિ સાથે મનુષ્યના ભવિષ્યને સુનિશ્ચિત કરીએ* *પ્રકૃતિના મૂળભુત ૫ પંચામૃત* *દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરાતી પ્રાકૃતિક ખેતી*

ગુજરાત રાજ્યની ખેતીની જમીનોમાં ઓર્ગેનીક કાર્બન, નાઇટ્રોજન, ઝીંક, સલ્ફર, વિગેરે પોષકતત્વોની મોટી ઊણપ હોવાથી કોઇપણ પ્રકારની ખેતી પ્રવૃત્તિમાં પાકૃતિક કૃષિ પધ્ધતિથી તૈયાર કરેલ જીવામૃત / ઘન જીવામૃતનો ઉપયોગ કરવાથી સુક્ષ્મજીવો/અળસિયાની સંખ્યા જમીનમાં વધે છે, જે જીવંત કે કાષ્ટ આચ્છાદનનું વિઘટન કરી હ્યુમસનું નિર્માણની સાથે અલભ્ય પોષક તત્વોને લભ્ય રૂપમાં ફેરવી ભુમીની ઉત્પાદન ક્ષમતા -ફળદ્રુપતા અને પ્રતિકાર શક્તિ વધારે છે. 

 

પાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડૂતોએ પોતાની ખેતીમાં રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઈએ. દેશી ગાયના ગૌમૂત્ર-ગોબરમાંથી તૈયાર કરેલ ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી, ત્યાર બાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું અને ઉભા પાકમાં પિયતના પાણી સાથે જીવામૃત /આપવું, પાકૃતિક કૃષિના પંચામૃત મુજબ સંપુર્ણ ખેતી કરવાથી સારા પરિણામો મળે છે.

*રાસાયણિક ખાતરને બદલે જીવામૃત-ઘન જીવામૃતનો ઉપયોગ કરવો હિતાવહ*

*જીવામૃત તૈયાર કરવાની રીત*

– ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૧૦ કિગ્રા દેશી ગાયનું તાજુ છાણ-૧ મુઠી ઝાડ નીચેની/શેઢા-પાળા/ વાડની માટી + ૧ કિગ્રા દેશી ગોળ + ૧ કિગ્રા ચણા કે કોઈપણ દાળના લોટનુ મિશ્રણ તૈયાર કરવું અને તેને ૧૮૦ લીટર પાણીના ડ્રમમાં નાખી મિક્ષ કરવું. ડ્રમને કંતાનની થેલીથી ઢાંકી છાંયડે રાખવું.

– લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ ૨ વખત ૫-૫ મિનિટ માટે હલાવવુ. ઉનાળામાં ૨-૩ દિવસમાં અને શિયાળામાં ૧ અઠવાડિયામાં તૈયાર થઇ જશે.

– જીવામૃત તૈયાર થયા પછી ૧૫ દિવસ સુધી ઉપયોગ કરી શકાય.

*જીવામૃત વાપરવાની રીત* : એક એકર માટે ૨૦૦ લી. જીવામૃતને ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઉભા પાક પર છંટકાવ કરવો.

*ઘન જીવામૃત બનાવવાની રીત*

– ૨૦૦ કિગ્રા સખત તાપમાં સુકવેલ અને ચાળણીથી ચાળેલ દેશી ગાયના છાણને ૨૦ લીટર જીવામૃત સાથે ભેળવવું. 

– ૪૮ કલાક માટે છાંયો હોય ત્યાં ઢગલો કરી ત્યારબાદ પાતળુ સ્તર કરી સુકવવું. આ સ્તરને દિવસમાં ૨-૩ વાર ઉપર નીચે કરવું. 

– સુકાય જાય ત્યારે ગાંગડાનો ભુકો કરી એક વર્ષ સુધી વાપરી શકાય.

*ઘન જીવામૃત વાપરવાની રીત* 

– જમીનમાં અંતિમ ખેડાણ પહેલાં પ્રતિ એકર ૨૦૦ કિગ્રા અને કુલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિગ્રા આપવુ.

*ફુગનાશકો વિશે જાણીએ*

*બીજામૃત*

– ૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૫ કિગ્રા છાણ + ૫૦ ગ્રામ ચુનો + ૧ મુઠી ઝાડ નીચેની માટીને ૨૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ૧૦૦ કિગ્રા બિચારણને પટ આપવા માટે ૨૪ કલાક બાદ ઉપયોગમાં લો.

*સુન્ઠાસ્ત્ર*

– ૨૦૦ ગ્રામ સુંઠ અથવા વાવડીંગ પાઉડરને ૨ લીટર પાણીમાં એટલું ઉકાળો કે અડધો થયા બાદ ઠંડુ પાડો, બીજા વાસણમાં ૨ લીટર દૂધને ધીમા તાપે ઉકાળી મલાઇ કાઢી નાખવી.

– ૨૦૦ લીટર પાણીમાં ઉપરનો ઉકાળો અને દૂધ મીક્ષ કરી ૨ કલાક બાદ છોડ પર ઉપયોગ કરો.

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!