Thursday, 28/03/2024
Dark Mode

માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર…. દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલત તેમજ ઝડપના સર્જાયેલા બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યા, અન્ય ઈજાગ્રસ્ત

October 18, 2021
        603
માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર….  દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલત તેમજ ઝડપના સર્જાયેલા બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યા, અન્ય ઈજાગ્રસ્ત

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર…. દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલત તેમજ ઝડપના સર્જાયેલા બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યા, અન્ય ઈજાગ્રસ્ત

દાહોદ તા.૧૮

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતોના બનેલા બે બનાવોમાં બે જણાના મોત નીપજતાં તહેવાર ટાળે મૃતકના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો જ્યારે માર્ગ અકસ્માતમાં અન્ય લોકોને પણ શરીરે ઈજાઓ પહોંચતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું પણ જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૭મી ઓક્ટોમ્બરના રોજ એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો. આ દરમ્યાન ટ્રકના ચાલકે ઓચિંતી શોર્ટ બ્રેક મારતાં પાછળ આવી રહેલ એક ટાવેરા ફોર વ્હીલર ગાડી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ ટ્રકની પાછળ ઘુસી જતાં ટાવેરામાં સવાર પેસેન્જરો પૈકી ૨૧ વર્ષીય અજન્તાબેન અજયભાઈ વસૈયાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અંદર સવાર અન્ય પેસેન્જરોને શરીરે, હાથે પગે ઈજાઓ થતાં ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. માર્ગ અકસ્માત સર્જી ટ્રકનો ચાલક પોતાના કબજાની ટ્રક સ્થળ પર મુકી નાસી જતાં આ સંબંધે ઝાલોદ તાલુકાના મુવાડા ગામે રાયણ ફળિયામાં રહેતાં બદિયાભાઈ સવસીંગભાઈ વસૈયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ફતેપુરા તાલુકાના ધાણીખુંટ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૬મી ઓક્ટોમ્બરના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહેલ મોટરસાઈકલ ચાલક પંકજભાઈને અડફેટમાં લેતાં પંકજભાઈ મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાયાં હતાં અને જેને પગતે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ફતેપુરા તાલુકાના નિંદકાપુર્વ ગામે ચાંદલી ફળિયામાં રહેતાં દેવજીભાઈ માવજીભાઈ માલે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!