
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં આજથી આદ્યશક્તિમાં અંબેના નોરતા (નવરાત્રી)નો પ્રારંભ:કોવીડ ગાઇડલાઇનની વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને ગરબા ઘુમશે
નવરાત્રી પર્વ દરમિયાન રાજ્ય સરકાર ની ગાઈડલાઈન મુજબ 400 વ્યક્તિઓની મંજૂરી હોવાથી મોટા ગરબા આયોજકોએ ગરબાનું આયોજન સ્થગિત રાખ્યો.
દાહોદમાં શેરી ગરબાની બોલબાલા, દાહોદના વિવિધ વિસ્તારોમાં શેરી ગરબા જામશે, મોટા આયોજકો પણ શેરીગરબા તરફ વળ્યા
દાહોદ તા.૦૬
સાતમી ઓક્ટોમ્બરના રોજ એટલે કે, આજથી માં આદ્યાશક્તિ માં અંબેના નોરતો એટલે કે, નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં આ વર્ષે સરકારની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રીનું આયોજન કરવામાં આવનાર છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. ૪૦૦ ખૈલાયાઓની મર્યાદા વચ્ચે શેરી ગરબા, સોસાયટી ગરબા, ફ્લેટના ગરબાનું આયોજન કરવાનું રહેશે તેમ પણ દાહોદ શહેર પોલીસ મથકના પીએસઆઈ દ્વારા જાણવા મળી રહ્યું છે. ગરબા આયાજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ પણ અપાઈ ચુંક્યો છે. આ ઉપરાંત નવ દિવસ સુધી માંઈ ભક્તિ માતાજીની પુજા, અર્ચના, ભક્તિમય માહોલ વચ્ચે અને માંઈ ભક્તો ઉપવાસ સાથે નવરાત્રીની નવ દિવસ સુધી ઉજવણી કરશે.
કોરોના મહામારી વચ્ચે છેલ્લા બે વર્ષના સમયગાળા દરમ્યાન અનેક નાના મોટા તહેવારોના રંગમાં ભંગ જરૂર પડ્યો હતો પરંતુ ચાલુ વર્ષે તહેવારોમાં રમઝટ જામી છે. એક વર્ષના લાંબા સમયગાળા બાદ નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. ખૈલેયાઓમાં પણ ઉત્સાહ સાથે થનગનાટ જાેવા મળી રહ્યો છે. નવરાત્રીના પ્રારંભ સાથે તહેવારોની શરૂંઆત થનાર છે અને તેમાંય ખાસ કરીને આ વર્ષે નવરાત્રીમાં રાજ્ય સરકાર દ્વારા આંશિક છુટછાટો આપવામાં આવતાં ગરબા રસીકોમાં આનંદની લાગણી છવાઈ છે તો માત્ર શેરી ગરબા, સોસાયટીઓ અને ફ્લેટ વિસ્તારમાંજ ગરબા મહોત્સવનું આયોજન કરવાના રાજ્ય સરકારના નિર્ણય સાથે પાર્ટી પ્લોટ અને મોટા ગરબા મંડળોમાં નિરાશા પણ જાેવા મળી હતી ત્યારે વાત કરીએ દાહોદ શહેરની તો દાહોદ શહેરમાં પણ સરકારની કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન વચ્ચે ગરબાનું આયોજન થનાર છે. બે દિવસ અગાઉ દાહોદ શહેર ટાઉન પોલીસ મથકે ગરબા મંડળો સાથે એક મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ શહેર પોલીસ મથકના પી.એસ.આઈ. વસંત પટેલની ઉપસ્થિતમાં આ મીટીંગ યોજાઈ હતી. આ મીટીગમાં દાહોદ શહેરના ગરબા મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યાં હતાં અને શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટ ગરબામાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં ગરબાનું આયોજન કરવાનું રહેશે તેમ પોલીસ વિભાગ દ્વારા ગરબા મંડળોને સુચના આપી દેવામાં આવી છે. રાત્રીના ૧૨ વાગ્યા સુધી ગરબા ચાલુ રાખી શકાશે. સમયસર ગરબા શરૂં કરવાના રહેશે અને સમયસર ગરબા બંધ કરી દેવામાં આવશે. ગરબામાં પાર્ટીશીપેટોએ ડબલ ડોઝ વેક્સિનેશન લીધેલ હાવું જાેઈએ. દાહોદ શહેરમાં પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો જ્યાં જ્યાં રજીસ્ટ્રેશન કર્યું હતું ત્યા ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણ પાલન કરવાનું રહેશે તેમ પણ જાણવા મળી રહ્યું છે. દાહોદ શહેરના બજારોમાં ખાસ કરીને ચણીયા ચોળી, ભાતીગળ આભુષો, સૌંદર્ય પ્રધાનો, પુજાપો, માં અંબેની પ્રતિમાઓ સહિત નોરતાને લગતી સામ્રગી ખરીદવા લોકોની ભીજ પણ જામી રહી છે.
———————–