
જીગ્નેશ બારીયા :- દાહોદ
પોલીસ બેડામાં બદલીઓનો દોર…દાહોદ જિલ્લા પોલીસમાં ૪ પીઆઈ તેમજ ૬ પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલીઓનો
ગઈકાલે ૩ પીએસઆઈ સહિત કોઈ ૩૫ પોલીસ કર્મીઓ વય મર્યાદા ને લઇ નિવૃત થતા વહીવટી કારણોસર પોલીસ અધિકારીઓની બદલી કરાઈ
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લામાં 4 પીઆઇ તેમજ 6 પોલીસ સબ ઈન્સ્પેક્ટરો મળી કુલ પોલીસ અધિકારીઓની વહીવટી કારણોસર અને તદ્દન હંગામી ધોરણે જિલ્લામાં નિમણુંક સહિત બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેષ જાેયસર દ્વારા દાહોદ જિલ્લામાં અલગ અલગ પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં ૧૦ જેટલા પીઆઇ/પો.સ.ઈ જિલ્લામાં જ આંતરીક બદલીઓ કરવામાં આવી છે જેમાં એસ.ઓ.જી. શાખા દાહોદમાં ફરજ બજાવતાં પીઆઇ બી.આર. સંગાડાની ઝાલોદ પોલીસ મથકે સીપીઆઈમાં,
સી.પી.આઈ. દાહોદમાં ફરજ બજાવતાં એચ.પી. કરણની એસ.ઓ.જી.શાખા, દાહોદમાં, સી.પી.આઈ. ઝાલોદમાં ફરજ બજાવતાં એમ.જી. ડામોરની લીમખેડા પોલીસ મથકે, લીમખેડા પોલીસ મથકે ફરજ બજાવતાં એમ.કે. ચૌધરીની સીપીઆઈ દાહોદમાં, જયારે 6 પીએસઆઇઓમાં એલ.સી.બી. શાખા દાહોદમાં ફરજ બજાવતાં એમ.એમ. માળીની ગરબાડા પોલીસ સ્ટેશનમાં, એસ.ઓ.જી. શાખામાં ફરજ બજાવતાં યુ.આર. ડામોરની જેસાવાડા પોલીસ મથકે, જેસાવાડા પોલીસ મથકે ફરજ બજાવતાં વી.આર. મકવાણાની દાહોદ રૂરલ પોલીસ સ્ટેશને, દાહોદ રૂરલ પોલીસ મથકે ફરજ બજાવતાં જે.કે.બારીઆની લીમખેડા પોલીસ મથકે અને લીમખેડા પોલીસ મથકમાં ફરજ બજાવતાં ડી.જી. વહોનીયાની દેવગઢ બારીઆ પોલીસ મથકે તંદ્દન હંગામી ધોરણે વહીવટી કારણોસર નિમણુંક કરવામાં આવેલ છે.
——————————-