દાહોદના પંડ્યા ફાર્મના યુવકની નજીવા બાબતે પાડોશીઓ માર મારતા સારવાર દરમ્યાન મોત થતા હત્યાનો ગુન્હો નોંધાયો:હત્યારા ન પકડાય ત્યાં સુધી બતક ના અંતિમ સંસ્કાર ના કરવાની પરિવારજનોની જીદ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Editor Dahod Live
1 Min Read

નીલ ડોડીયાર :- દાહોદ

 દાહોદના પંડ્યા ફાર્મના યુવકની નજીવા બાબતે પાડોશીઓ માર મારતા સારવાર દરમ્યાન મોત થતા હત્યાનો ગુન્હો નોંધાયો

દાહોદ તા.23

દાહોદના પંડ્યા ફામઁ નજીક આવેલ કન્યા આશ્રમ પાછળ રેહતા વિજય ભાભોર પોતાના મિત્ર કોઈ છોકરીને પ્રેમ લગ્ન કરી ભગાડી ગયેલ જેના પગલે ગત તા.17 એપ્રીલના રોજ(1) રાજુ રજનીકાંત સંગાડા (2) કરણ રાજુ સંગાડાએ વિજયને કહેલ કે તુ કેમ તારા મિત્ર સાથે ફરે છે.તેમ કહી અચાનક ઉશ્કેરાઈ જઇ તલવાર અને બેઝબોલના ડંડા વડે માર મારેલ જેના પગલે પ્રાથમિક સારવાર બાદ વિજયને બરોડા ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વિજયને ગંભીર ઈજાઓ થતા પોલીસે જે તે સમયે હત્યાના પ્રયાસનો ગુન્હો બે ઇસમો વિરુદ્ધ નોધવામાં આવ્યો હતો.પરંતુ ગઇકાલે સારવાર દરમ્યાન વિજયીની મોત થતા દાહોદ ટાઉન પોલીસ દ્વારા વધુ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.જોકે નજીવી બાબતે પડોશમાં રહેતા બે ઈસમોએ માર મારતા સારવાર

દરમ્યાન મોત થતા પરિવારના સભ્યોએ જયાર સુધી આરોપીને પોલીસ પકડી ના લે ત્યાર સુધી મૃતકની અંતિમ સંસ્કાર ન કરવાની જીદ પકડી હતી.જેના પગલે પોલીસ દ્વારા મૃતકના ધરે તેમજ હત્યારાઓના ધરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.

Share This Article