જીગ્નેશ બારીયા :- દાહોદ
દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે મકાનની પાછળની ભાગે આગ લાગતાં રૂા. અઢી લાખનું નુંકસાન
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અંતેલા ગામે એક મકાનના પાછલા ભાગે આકસ્મીક રીતે આગ લાગવાથી અંદાજે અઢી લાખનું નુકસાન થયાનું જાણવા મળે છે. આગ લાગવાનું સાચુ કારણ જાણવા મળ્યું નથી.
દેવગઢ બારીઆના અંતેલા ગામે માળ ફળિયામાં રહેતા રમણભાઈ નારણભાઈ પટેલના પાછળના ભાગે ગતરોજ સાંજના સવા ચાર વાગ્યાના સુમારે આકસ્મીક આગ ફાટી નીકળતાં આગ અંગેની જાણ દેવગઢ બારીઆ ફાયર સ્ટેશને કરાતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને પાણીનો સતત મારો ચલાવી આગ હોલવવાની કામગીરી આરંભી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી આગ હોલવી નાખી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. આગમાં ઘટના પાછળ પાછળના ભાગમાં ચાર ગાળાની લાકડાની કામઠી, લાકડા તેમજ જાેતરીઓ તેમજ ઘરવખરીનો સંપુર્ણ સામાન તથા અનાજ સંપુર્ણ બળીને રાખ થઈ જતાં રૂા. અઢી લાખનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે.
———————