Friday, 29/03/2024
Dark Mode

દાહોદના અરોડામાં બે નરાધમોએ પરિણીતા જોડે છેડતી કરી પતિને માર્યો: પોલીસ તપાસમાં જોતરાઈ 

દાહોદના અરોડામાં બે નરાધમોએ પરિણીતા જોડે છેડતી કરી પતિને માર્યો: પોલીસ તપાસમાં જોતરાઈ 

નીલ ડોડીયાર :- દાહોદ 

 દાહોદના અરોડામાં બે નરાધમોએ પરિણીતા જોડે છેડતી કરી પતિને માર્યો: પોલીસ તપાસમાં જોતરાઈ

દાહોદ તા.૦૪

સીંગવડ તાલુકાના આરોડા ગામે એક પરણિતાનો એકલતાનો લાભ લઈ બે જણાએ પરણિતાને પકડી પાડી શારિરીક છેડછાડ કરતાં મહિલાએ બુમાબુમ કરી મુકતાં તેનો પતિ દોડી આવ્યો હતો અને આ જાેઈ અન્ય બે જણ ફોર વ્હીલર ગાડી લઈ આવ્યો હતો અને પતિને ત્રણેય જણાએ બેસાડી દુર લઈ જઈ ગડદાપાટ્ટુનો માર મારી સ્થળ પર છોડી મુકી નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

સીંગવડ તાલુકાના પીપળીયા ગામે રહેતા સરદારભાઈ સબુરભાઈ બારીયા, શૈલેષભાઈ સબુરભાઈ બારીયા ગત તા.૦૨ મેના રોજ સીંગવડ તાલુકામાં રહેતી એક ૨૩ વર્ષીય પરણિતાના ઘરે આવ્યાં હતાં અને પરણિતાના એકલતાનો લાભ લઈ પરણિતાને બંન્ને જણાએ પકડી પાડી બળજબરી કરી તેણીની છેડછાડ કરતાં હતાં. આ દરમ્યાન પરણિતાએ બુમાબુમ કરી મુકતાં પરણિતાનો પતિ દોડી આવ્યો હતો. આ દરમ્યાન જવસીંગભાઈ સબુરભાઈ બારીયા અને જામદરા ગામે રહેતો ફુલસીંગભાઈ કડવાભાઈ બારીયા બંન્ને જણા ફોર વ્હીલર ગાડી લઈ આવી ગયાં હતાં અને ચારેય જણાએ પરણિતાના પતિને પકડી પાડી ગાડીમાં નાંખી દઈ તેને થોડે દુર લઈ જઈ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી સ્થળ પર છોડી મુકી ચારેય જણા નાસી ગયાં હતાં.

આ સંબંધે છેડછાડનો ભોગ બનેલ પરણિતાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

———————-

error: Content is protected !!