વનરાજ ભુરીયા :- ગરબાડા
-
દાહોદ ના ભીલ સમાજ ની અનોખી પરંપરા:
-
વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થીનું આમલી અગિયારસે વિસર્જન કરાશે
-
:રામડુંગરાના ભીમકુંડ ખાતે પરંપરા મુજબ કરાશે અસ્થી વિસર્જન
-
ગરબાડા તાલુકાના કેટલાક ગામોમાં આ દિવસોમાં કાચરાની વિધિ કરવાની પણ માન્યતા
-
જેમાં ગામના લોકો સમૂહમાં મુંડન તેમજ બુંદીનુ વિતરણ કરવામાં આવે છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આમલી આગિયારસનું ખૂબ જ અનેરું મહત્વ હોય છે
તથા હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજના જ્યારે મોટા ભાગના લોકો દશમની સાંજના પોતાના સગાવાલા કુટુંબીજનોને તેડીને આ અસ્થિ ઓ બહાર કાઢે છે.અને તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ પાણી તથા હળધર વડે આ અસ્થીઓને ધોઈ તેની પૂંજા કરે છે.અને પૂંજા વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે.
જો કે અહીંના ભીલ સમાજના લોકોની એવી એવી પણ માન્યતા છે.કે આ જગ્યાએ પાંડવો આવ્યા હતા.અને આ જગ્યાએ પાંચકુંડ આવેલા છે.જેથી આ જગ્યા એ દેવોનો પણ વાસ છે.જેથી અહીં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળે છે.અસ્થિ પધરાવવા માટે રામડુંગરા ભીમકુંડ ખાતે વહેલી સવારથી જ ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઢોલ નગારા વગાડીને તેમની પરંપરા પ્રમાણે પોતાના સ્વજનોના અસ્થિઓ આ ભીમકુંડમાં વિસર્જિત કરતા હોય છે.