સંતરામપુર નગરમાં બીજા તબક્કાની સંતરામપુરના અધિકારી અને કર્મચારીઓની વેક્સિન આપવામાં આવી
સંતરામપુર તા.31
સંતરામપુર નગરમાં નર્સિંગ સ્કૂલમાં બીજા તબક્કામાં વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં પ્રથમ રસીનો ડોઝ સંતરામપુર પ્રાંત અધિકારી યાદવ સાહેબે લીધી હતી.અને મામલતદાર કે.જે.વાઘેલા નગરપાલિકાના ચીફ ઓફિસર દિલીપ હઠીલા સંતરામપુર પી.આઈ ભોઈ સાહેબ અને કર્મચારીગણ તમામને રસીનો ડોઝ આપવામાં આવેલો હતો.અને જનજાગૃતિ માટે રસીની માહિતી માટે રસી મુકાવી જરૂરી છે.સંતરામપુર પ્રાંત અધિકારી અને તમામ અધિકારીઓ અને સ્ટાફ ગણ એ રસી વિશે માર્ગદર્શન આપ્યું હતું અને જણાવેલું કે રસી મુકવાથી રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય છે કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી ખોટી અફવાઓથી દૂર રહેવું રસી મૂકવો અને સ્વસ્થ રહો કોરા ના જેવી વાયરસ થી બચો તમામ સ્ટાફ ગણ કર્મચારી જાહેર જનતાને પણ માર્ગદર્શન આપેલું હતું સંતરામપુર બ્લોક હેલ્થ કચેરી ના ડોક્ટર નરેન્દ્ર ગોસાઈ પ્રથમ રસીનો ડોઝ મુકાબલો હતો તેમણે જણાવેલું કે મને કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી હું અત્યારે તો સ્વચ્છ છું અનુભવ અને વાસ્તવિકતા જણાવી હતી સંતરામપુર નગરમાં નર્સિંગ કોલેજમાં રસીનું બીજા તબક્કા નો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યો હતો આ કામગીરીમાં સ્ટેટ હોસ્પિટલના તબીબો સ્ટાફ નર્સ પ્રાથમિક પીએચસીના ડોક્ટરો તમામ સહકારથી આજે રસી મુકવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.