સંતરામપુર તાલુકાના ભંડારા ગામે આઝાદી પછી પાકા રસ્તાની સુવિધા મળતા ગ્રામજનોમાં આનંદ છવાયો 

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર તા.08

સંતરામપુર તાલુકાના ભંડારા ગામે આઝાદી પછી પાકા રસ્તાની સુવિધા મળતા ગ્રામજનોમાં આનંદ છવાયો

સંતરામપુર તાલુકાના ભંડારા ગામના કેસરપુરા આ ગામની અંદર આઝાદી પછી આજ દિન સુધી પાકા રસ્તાની સુવિધા ન હતી ભંડારા ગામના ગ્રામજનોએ પાકા રસ્તાની માંગણી માટે વારંવાર રજૂઆત પણ કરતા પરંતુ પાકો રસ્તો બનતો ન હતો ભંડારા ગામ થી સંતરામપુર જવા માટે ગ્રામજનોને હાલાકી ભોગવવી પડતી હતી અને નાના મોટા વાહનોને મોટા પાયે નુકસાન થતું હતું ચોમાસા દરમિયાન ગામની બહાર નીકળવું પણ અઘરું બનતું હતું આંતર્યા અને ડુંગરાળ વિસ્તારમાં મોટા મોટા પથ્થરો કાપીને ડામર કાર્પેટ નો પાકો રસ્ત બનાવવામાં આવેલો હતો ભંડારા ગામના સ્થાનિક ધારાસભ્ય કુબેર ડીંડોર સરકારમાં રજૂઆત કરીને ભંડારા ગામ ની અંદર પાકા રસ્તાન ગ્રામજનો માટે સુવિધા પૂરી પાડી ફોટો

Share This Article