સિંગવડ તાલુકાની કટારાનીપલ્લી તથા કાળિયારાઇ ગ્રામ પંચાયત ખાતે કોરોના જનજાગૃતિ અભિયાનની મીટીંગ યોજાઇ

Editor Dahod Live
2 Min Read

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.09

સિંગવડ તાલુકાની કટારાની પલ્લી તથા કાળિયા રાઇ ગ્રામ પંચાયત ખાતે કોરોના જનજાગૃતિ અભિયાનની મીટીંગ યોજાઇ

શું વધી રહેલા વજનથી તમે ચિંતિત છો?  તો આજે જ સંપર્ક કરો :- GREEN NUTRIZON 

સીંગવડ તાલુકા માં કોરોના જનજાગૃતિ અભિયાન માં દરરોજ બે પંચાયત લેવામાં આવતી હોય છે તેમાં આજરોજ કટારાની પલ્લી તથા કાળિયા રાઈ ગામ પંચાયતની સિંગવડ તાલુકા વિકાસ અધિકારી મકવાણા સાહેબ મામલતદાર પટેલ સાહેબ નાયબ મામલતદાર ગઢવી સાહેબ

અને વિસ્તરણ અધિકારી પંચાયત આર.ડી.પટેલ વગેરે દ્વારા પહેલા કટારાની પલ્લી ગામે જઈને કટારા પલ્લલી ગામના સરપંચ તથા તક મંત્રી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોરોના ની જનજાગૃતિ અભિયાન માટે લોકોને કોરોના વિશે માહિતી આપવામાં આવી હતી તથા જે ઘરેથી નહીં આવ્યા હોય તેમને ઘરે જઈને કોરોના વિશેની માહિતી આપવા જણાવ્યું હતું તથા માસ્ક અવશ્ય પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા બહાર થી આવો એટલે હાથ સાફ કરવા વગેરેની જાણકારી આપવામાં આવી હતી ત્યાર પછી બધા અધિકારીઓ દ્વારા કોરોના વિશે માહિતી અપાઇ હતી ત્યાર પછી ત્યાંથી કાળિયારાઈ ગ્રામ પંચાયત જઈને ત્યાં પણ સરપંચ તલાટી અને ગ્રામજનો ભેગા થયેલા હતા તમને પણ કોરોના વિશે માહિતગાર કરી ને સ્વચ્છતા રાખવા જણાવવામાં આવ્યું હતું આ રીતે તાલુકા વિકાસ અધિકારી મકવાણા સાહેબ દ્વારા કોરોના પર વધારે ભાર મૂકીને સિંગવડ તાલુકા માં કોરોના નો પગ પેસારો નહીં થાય તેના માટે વધારે પડતો ભાર મૂકીને કોરોના સામેની લડત ચાલુ રાખવામાં આવી છે

Share This Article