Tuesday, 01/07/2025
Dark Mode

સરકારી જમીનમાં દબાણકર્તાઓને મુશ્કેલી માં વધારો:વેપારીઓની જીવનભરની પુંજી બર્બાદ થવાના આરે… દાહોદની રળીયાતી સાંગા ફળિયામાં 63 મિલકત ધારકોને 20 મી સુધી દબાણ દૂર કરવા આદેશ થી ખળભળાટ…

June 11, 2025
        3320
સરકારી જમીનમાં દબાણકર્તાઓને મુશ્કેલી માં વધારો:વેપારીઓની જીવનભરની પુંજી બર્બાદ થવાના આરે…  દાહોદની રળીયાતી સાંગા ફળિયામાં 63 મિલકત ધારકોને 20 મી સુધી દબાણ દૂર કરવા આદેશ થી ખળભળાટ…

રાજેશ વસાવે :- દાહોદ 

સરકારી જમીનમાં દબાણકર્તાઓને મુશ્કેલી માં વધારો:વેપારીઓની જીવનભરની પુંજી બર્બાદ થવાના આરે…

દાહોદની રળીયાતી સાંગા ફળિયામાં 63 મિલકત ધારકોને 20 મી સુધી દબાણ દૂર કરવા આદેશ થી ખળભળાટ…

 અગાઉ કરેલ ડીમાર્ગેશન મુજબ દબાણ દૂર કરાશે, 

દાહોદ તા.૧૧

સરકારી જમીનમાં દબાણકર્તાઓને મુશ્કેલી માં વધારો:વેપારીઓની જીવનભરની પુંજી બર્બાદ થવાના આરે... દાહોદની રળીયાતી સાંગા ફળિયામાં 63 મિલકત ધારકોને 20 મી સુધી દબાણ દૂર કરવા આદેશ થી ખળભળાટ...

દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણ સામે આવ્યા બાદ અગાઉ તંત્ર દ્વારા જમીન કૌભાંડમાં હકીકતલક્ષી અહેવાલ મેળવવા માટે રીસર્વે ની કામગીરી હાથ ધરી હતી.દરમિયાન દાહોદ કસ્બાના રળિયાતી સાંગામાં સરકારે રેકોર્ડ મુજબ સર્વે નંબર 1,003 માં અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા પાકુ દબાણ ઊભું કરી વાણિજ્ય હેતુ માટે ઉપયોગ કરતા હોવાનું સામે આવતા આ મામલે વેપારીઓને સરકારી તંત્ર વચ્ચે થયેલી કાયદાકીય લડાઈ ના અંતે રેવન્યુ સર્વે નંબર 1,003 જે આરએનવી વિભાગને મોરમ નીમ માટે ફાળવવામાં આવી હતી. પરંતુ તેની જગ્યાએ કેટલાક લોકોએ મેળાપીપણા કરી આ જમીન રેકર્ડ સીટ પર દેવીનું સર્વે નંબર 376 , રેવન્યુ સર્વે નંબર 387 /2 તેમજ 388 / અ વાળી જમીન બતાવી કોમર્શિયલ હેતુ માટે દુકાનો ગોડાઉનનો સહિતના બાંધકામ કરી સરકારી જમીન પચાવી પાડી સરકારને છેતરપિંડી કરતા હોવાનું ફલિત થતા આખરે આજરોજ મામલતદારે આ મામલે તેનો હુકમ આપી આગામી 20 જૂન સુધી વેપારીઓને સ્વખર્ચે દબાણ દૂર કરવા આદેશ કરાતા રળીયા થી સાંગામાં 63 જેટલા મિલકતધારકોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે.

દાહોદમાં નકલી NA પ્રકરણ સામે આવ્યા બાદ તપાસ દરમિયાન કસબાના સાંગા ફળિયામાં આવેલ રેવન્યુ સર્વે નંબર 1003 સરકારી પડતર અને રસ્તા પૈકીની જમીન મોરમ હોવાનું ફલિત થવા પામ્યું છે.સરકારી જમીન ઉપર ઉભા કરવામાં આવેલા પાકી દુકાનો ગોડાઉન વિગેરે બાંધકામને જેતે સમયે સ્વખર્ચે દૂર કરવા જમીન મહેસુલ કાયદાની કલમ 63 હેઠળ દબાણદારોને સ્વખર્ચે દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી.તંત્ર દ્વારા અપાયેલી નોટિસ બાદ સાંગા ફળિયાના મિલકત ધારકોમાં આક્રોશ સાથે ગમગીની ફેલાઈ જવા પામી હતી.એટલું જ નહીં વર્ષોની મૂડી હોમાઈ જશે ની બીકે ઉપરોક્ત સર્વે નંબરમાં આવેલ 63 થી વધુ મિલકત ધારકો દ્વારા પોતે જ માલિક છે. તેમની પાસે સરકારી દસ્તાવેજો તેમજ અન્ય સરકારી ડોક્યુમેન્ટ થયા છે તેવી રજૂઆત સાથે કલેકટર એસ.ડી.એમ વિગેરે સમક્ષ રાવ કરી હતી અને આવેદનપત્રો પણ અપાયા હતા.પરંતુ નકલી NA પ્રકરણમાં તપાસ દરમિયાન સરકારી જમીન ઉપર દબાણ હોવાનું કૌભાંડ બહાર આવવા પામ્યું હતું દાહોદ ગામની સર્વે નંબર 1003 ની સદર જમીન ઇજનેર ખાતાને મોરમ માટેની/સરકારી પડતર અને રસ્તા પૈકીની જમીન હોવાનું બહાર આવ્યું હતું.અત્રેના સાંગા ફળિયાના ગોડાઉન ધારકો અને દુકાન ધારકોએ નામદાર ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જેમાં ગુજરાત હાઇકોર્ટે દાહોદના 61 કરતાં પણ વધુ કબજેદારોને દબાણકર્તાઓને સાંભળ્યા વગર નિર્ણય ન લેવાનું ડાયરેક્શન આપ્યું હતું.અને આમ જે તે સમયે ગોડાઉન ધારકો અને દુકાનદારોને જીવનદાન પ્રાપ્ત થયું હતું.અને સ્થળ પરથી સંબંધિત તંત્રને પાછું ફરવું પડ્યું હતું.ત્યારબાદ હાઇકોર્ટના ડાયરેક્શન મુજબ હાઇકોર્ટ ની રજૂઆત મુજબ દબાણ કર્તાઓને ઓક્ટોબર માસમાં 24, 25.અને 30 તારીખ આપવામાં આવી હતી ત્યારબાદ નવેમ્બર માસમાં 11 અને 18 તારીખની મુદતો આપી તમામને હાજર રાખી મૌખિક તથા લેખિત જવાબો લીધા હતા.એટલું જ નહીં હાજર રહેલા લોકો પછી વધુ સુનાવણીની જરૂરિયાત ન હોય આ કેસને ઠરાવ ઉપર લેવામાં આવ્યો હતો.આ કેસમાં સરકાર તરફે મામલતદાર દ્વારા સામેવાળા એટલે કે 63 જેટલા દબાણકર્તાઓને સાંભળ્યા બાદ મામલતદારના હુકમથી પાછળથી કોઈ લેટિગેશન ઊભું ન થાય તે માટે ડીમાર્ગેશન કરવા માટે છેલ્લી માપણીનો હુકમ કર્યો હતો જેના સંદર્ભમાં મામલતદાર કચેરીના તલાટી સર્કલ તેમજ DIRL દ્વારા સ્થળ પર જઈ છેલ્લી માપણી કરવામાં આવી હતી. જેમાં અગાઉ કરેલ ડીમાર્ગેશન મુજબ માપ નીકળ્યું હતું. જે બાદ મામલતદાર કચેરી દ્વારા આ મામલે નોટિસો આપી છેલ્લી વખત રજૂઆત કરવા માટે પણ જણાવ્યું હતું. અને હવે અંતે આજ રોજ 63 જેટલા મિલકત ધારકોને 20 મી જુન સુધી ઉપરોક્ત સર્વે નંબરમાં કરેલ દબાણ સ્વખર્ચે દૂર કરી નાખવાની તાકીદ આપી છે. જો આવું ન કરે તો 20 મી પછી સરકારી તંત્ર સરકારી મશીનરી દ્વારા ઉપરોક્ત દબાણો દૂર કરશે અને મહેસુલ તમામ ખર્ચ દબાણ કરતા પાસે વસૂલવા માટે જણાવ્યું છે. જેના ના પગલે હવે 63 જેટલા મિલકત દ્વારા કોને માથે આભ તૂટી પડ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વેપારીઓની જીવનભરની કમાણી,લોન ઉપર લીધેલી મિલકતો હવે દૂર કરવામાં આવશે જેના લીધે વેપારીઓને ભારે આર્થિક નુકસાન થશે કેવું હાલે તબક્કે લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!