Tuesday, 01/07/2025
Dark Mode

71 કરોડના મનરેગા કૌભાંડમાં વડોદરાના દિવાળીપુરાની એજન્સીના માલિકની તેમજ દેવગઢ બારીયાના MIS ઓપરેટરની ધરપકડ.  71.09 લાખના કામ કરનારી વડોદરાની એજન્સીનો માલિક દે.બારિયા તાલુકાનો વતની.!! 

May 21, 2025
        645
71 કરોડના મનરેગા કૌભાંડમાં વડોદરાના દિવાળીપુરાની એજન્સીના માલિકની તેમજ દેવગઢ બારીયાના MIS ઓપરેટરની ધરપકડ.   71.09 લાખના કામ કરનારી વડોદરાની એજન્સીનો માલિક દે.બારિયા તાલુકાનો વતની.!! 

#DahodLive#

71 કરોડના મનરેગા કૌભાંડમાં વડોદરાના દિવાળીપુરાની એજન્સીના માલિકની તેમજ દેવગઢ બારીયાના MIS ઓપરેટરની ધરપકડ.

71.09 લાખના કામ કરનારી વડોદરાની એજન્સીનો માલિક દે.બારિયા તાલુકાનો વતની.!! 

માલિક અને એજન્સીના નામ વચ્ચે કોઇ તાલમેલ નહીં હોવાથી તલસ્પર્શી તપાસ .

દાહોદ તા.20

71 કરોડના મનરેગા કૌભાંડમાં વડોદરાના દિવાળીપુરાની એજન્સીના માલિકની તેમજ દેવગઢ બારીયાના MIS ઓપરેટરની ધરપકડ.  71.09 લાખના કામ કરનારી વડોદરાની એજન્સીનો માલિક દે.બારિયા તાલુકાનો વતની.!! 

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુરમાં રસ્તાના અધૂરા કામો અને અનધિકૃત એજન્સીઓને ₹71 કરોડના બહુચર્ચિત મનરેગા કૌભાંડ પ્રકરણમાં મંગળવારે પણ ધરપકડનો સિલસિલો યથાવત રહ્યો હતો.દાહોદ પોલીસે દેવગઢ બારિયામાંથી એમઆઇએસ ઓપરેટર સંજય બારિયાઅને એજન્સીના માલિક જગદીશ બારિયાની ધરપકડ કરી છે. જેમાં જગદીશ બારિયાની એજન્સી L1 (સૌથી ઓછી બિડ કરનાર) માં ન હોવા છતાં તેણે પોતાની એજન્સીના બિલો રજૂ કરીને સરકારી નાણા મેળવ્યા હતા. જેમાં દેવગઢ બારિયામાંથી ₹2,20,197 અને ધાનપુરમાંથી ₹68,88,818 એમ કુલ ₹71.09 લાખથી વધુની રકમ ગેરકાયદેસર રીતે મેળવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ ધરપકડ કરાયેલ જગદીશ બારિયા વડોદરાના દિવાળીપુરા ની ઉમાબેન મદનલાલ પટેલિયા નામક એજન્સી ધરાવે છે અને દેવગઢ બારિયા તાલુકાનો વતની છે.જોકે જગદીશ બારિયા અને એજન્સીના નામ વચ્ચે કોઇ તાલમેલ નહીં હોવાની બાબત આ કૌભાંડમાં અનેક શંકા કુશંકા જોવા મળી રહી છે.જે મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. જોકે આગામી સમયમાં મનરેગા કૌભાંડમાં હજુ વધુ ધરપકડો થવાના એંધાણ જોવાઈ રહ્યા છે અને પોલીસ દ્વારા આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, દરમિયાન ધાનપુરનો એપીઓ ભાવેશ રાઠોડ માંગરોળથી ઝડપાયો હતો ત્યારે પોલીસ તેને મોડી રાત્રે દાહોદ લઇને આવતાં તેની પણ ધરપકડ બતાવવામાં આવી હતી.

 

*મનરેગાના 71 કરોડના કૌભાંડમાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે અલગ અલગ રિમાન્ડ મેળવ્યા..*

 

દાહોદના 71 કરોડના મનરેગા કૌભાંડમાં ગઈકાલે પોલીસે ધરપકડ કરેલા મંત્રીપુત્ર,ભાણેજ તેમજ ડેપ્યુટી ડીડીઓ, આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તેમજ પ્રોપરાઇટરને આજે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.જેમાં કોર્ટે તમામ આરોપીઓના અલગ અલગ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

 

દાહોદના બહુચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે અલગ અલગ શહેરોમાંથી ઝડપી પાડેલા આરોપીઓને સવારે કોર્ટમાં રજુ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં મંત્રી પુત્ર કિરણ ખાબડ, ડેપ્યુટી ડી.ડી.ઓ રસિક રાઠવાના ચાર દિવસ તેમજ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર અને મંત્રીના ભાણેજ દિલીપ ચૌહાણના દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે સાંજે પોલીસે આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ભાવેશ રાઠોડના નવ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.સાથે એમઆઈએસ ઓપરેટર સંજય બારીયાના છ દિવસ તેમજ ઉમાબેન મદનલાલ પટેલિયા નામક એજન્સીના પ્રોપરાઇટરના છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. 

 

 *મનરેગા કૌભાંડીઓની પોલીસ જીપથી લોકઅપ સુધી મેરેથોન દોડ.*

 

મનરેગા કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓને ડિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. જે બાદ કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા બાદ પરત આરોપીઓને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા જ્યાં આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા માટે એક સરખા નવા નકોર સફેદ રૂમાલથી મોઢું નાખી દીધું હતું તેમજ મીડિયાથી બચવા માટે પોલીસ જીપથી લોકઅપ સુધી દોટ મૂકી હતી. આરોપીઓને આયોજનબદ્ધ રીતે મીડિયાથી છુપાવવાની કોશિશ કરી હોય તેમ જોવાઈ રહ્યું હતું.

 

*દાહોદના મનરેગા કુભારને લઈ પંચાયત પ્રધાન બચુખાબડે મીડિયા સમક્ષ આપી પ્રતિક્રિયા..*

 

 દાહોદના 71 કરોડના મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રોની ધરપકડ થયા બાદ કોંગ્રેસ દ્વારા તેમના રાજીનામાની માંગ ઉઠવા પામી છે. દરમિયાન પંચાયતી રાજના મંત્રી બચુભાઈ ખાબડે મીડિયા સમક્ષ હાજર થયા હતા અને જણાવ્યું હતું કે મારા પુત્રોની માલ સપ્લાય કરવાની એજન્સી છે. મારા પુત્રોએ વેપાર કર્યો છે અને ઈમાનદારીથી માલ સપ્લાય કર્યો છે. મને અને મારા પુત્રોને કોંગ્રેસ બદનામ કરી રહી છે તેવા આક્ષેપ કર્યા હતા. મનરેગા કૌભાંડમાં 35 એજન્સીઓ સામે ગુના દાખલ થયા છે. મારા પુત્રોનું નામ આવતા તેઓ જાતે પોલીસ સમક્ષ હાજર થયા છે. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે. મારા બંને પુત્રો તપાસમાં પોલીસને પૂરતો સહાય આપશે. હું 25 વર્ષથી રાજકારણમાં છું. અગાઉ પણ મારા વિરુદ્ધ હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ થયેલી છે. પણ મારા સામે ભ્રષ્ટાચારનો એક પણ આરોપ સાબિત થયો નથી. કોંગ્રેસ દ્વારા મને અને મારા પુત્રોને બદનામ કરવાનો કાવતરું ઘડવામાં આવ્યું છે. જેનો હિસાબ ન્યાયતંત્ર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!