*દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ માં નવીન હોદ્દેદારશ્રી ઓની બિનહરીફ વરણી થઈ* 

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ માં નવીન હોદ્દેદારશ્રી ઓની બિનહરીફ વરણી થઈ* 

 સુખસર,તા.12

 ‌ દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળમાં આગામી વર્ષ માટે નવીન હોદ્દેદારશ્રીઓની વરણી બાબતે દાહોદ પંચાલ સમાજની વાડી ખાતે કારોબારી સભા મળી હતી.જેમાં પ્રમુખ તરીકે રાજેશભાઈ નાથાલાલ પંચાલ,મહામંત્રી તરીકે સુરેશભાઈ એસ.પંચાલ,ખજાનચી તરીકે રમેશભાઈ એમ.પંચાલ.કાર્યધ્યાક્ષ તરીકે હસમુખ ભાઈ પી.પંચાલ, સિનિયર ઉપ પ્રમુખ તરીકે અનિલભાઈ આર.પંચાલ,સિનિયર મંત્રી તરીકે જયેશકુમાર બાબુલાલ પાંચાલ અને સંયોજક તરીકે વિજયભાઈ પંચાલની વરણી કરવામાં આવી હતી.આ સિવાય અન્ય હોદ્દાઓની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

કારોબારી સભાના અધ્યક્ષ ધીરજલાલ કે.પંચાલે બિનહરીફ હોદ્દેદારોની જાહેરાત કરી અને સૌને અભિનંદન પાઠવ્યા હતા.

Share This Article