સંતરામપુરમાં લોકડાઉનની છૂટછાટના સમય વધારવા સ્થાનિક વ્યાપારીઓ દ્વારા પ્રાંત અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરાઈ

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.14

સંતરામપુર વ્યાપારીઓએ પ્રાંત અને મામલતદાર લેખિતમાં રજૂઆત લોકડાઉન  દરમિયાન સંતરામપુર નગરમાં અન્ય વેપારીઓની 50 દિવસ વિતવા છતાંય દિનપ્રતિદિન હાલત કફોડી બનતી જાય છે. માગણી છે કે અમને પણ સવારે આઠ થી ૨ કલાક સુધી અમને પણ દુકાન ખોલવાનું છૂટ આપો વેપારીઓએ કાપડ હાડવેર કટલેરી સ્ટેશનરી અલગ-અલગ વેપારીઓએ પોતાની રીતે ભેગા મળીને આજરોજ મામલતદાર અને પ્રાંતની દુકાન ખોલવા માટે માંગણી કરી હતી અને સંતરામપુર નગરમાં મહિસાગર જિલ્લાના કલેક્ટરના આદેશ મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે કે જીવનની વસ્તુઓ ની ખરીદી માટે સવારે સાત કલાકથી 11 વાગ્યા સુધીનો જાહેર કર્યું તેમ છતાંય સંતરામપુર સામાન્ય નાગરિકની ખોટી રીતે પોલીસ વિભાગ દ્વારા સવારે ૯ થી ૧૦ કલાકની અંદર કાર્યવાહી કરવા માટેની શરૂઆત કરી દેતા હોય છે આના કારણે સ્થાનિક પબ્લિક પોતાનું સંપૂર્ણ રીતે કામ પૂર્ણ કરી શકતા નથી. આ વેપારીઓની હતી કે પોલીસ વિભાગ દ્વારા થતી હેરાનગતિ બંધ કરાઈ આપણે સ્થાનિક રહીશોએ મામલતદાર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી.

Share This Article