ગરબાડાના નવાગામમાં વીજલાઇન પર ચડેલા વીજકર્મીનું કરંટ લાગતા મોત

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ,  

દાહોદ તા.12
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના નવાગામ ખાતે વીજપોલ નું સમારકામ કરવા એક વીજ કર્મચારી વીજપોલ પર સમારકામ કરી નીચે ઉતરતી વેળાએ વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં તાબડતોડ ઘટનાસ્થળે દોડી જઈ આ વિસ્તારનો વીજપુરવઠો બંધ કરી વીજ થાંભલા પર લટકતા વીજ કર્મચારીને નીચે ઉતારી તેના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડા ગામે રહેતા અને દાહોદ રૂલર વિસ્તારની વીજ કચેરીમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ અરવિંદભાઈ પટેલ (ઉંમર વર્ષ પાસે 30 વર્ષ) ગત તારીખ 11મી ના રોજ સવારમાં અગિયાર વાગ્યાના સમયે દાહોદ તાલુકાના નવાગામ પરમાર ફળીયામાં આવેલ વીજ સબ સ્ટેશનના સમારકામ માટે ગયા હતા. આ દરમિયાન તેઓ વીજપોલ પર સમારકામ કરતા હતા અને સમારકામ કરી નીચે ઉતરતી વેળાએ અચાનક આકસ્મિક રીતે વીજ કરંટ લાગતા તેઓ અડધે સુધી વીજ પોલ નીચે લડકી ગયા હતા. કેટલાક રહીશો ત્યાંથી પસાર થતા આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી અને પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી ત્યાં પહોંચેલી પોલીસે પ્રથમ તો વીજ પુરવઠો બંધ કરી અલ્પેશભાઈ ને નીચે ઉતાર્યા હતા અને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબો દ્વારા અલ્પેશભાઈ ને મૃત જાહેર કરાતા આ સંબંધે ગરબાડા પોલીસે પ્રથમ તબક્કે અકસ્માત મોતના ગુનાના કાગળો તૈયાર કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article