વસાવે રાજેશ દાહોદ
કેન્દ્રની મોદી સરકાર દ્વારા સફળતા પૂર્વક 9 વર્ષ પૂર્ણ કરતા સમગ્ર વિશ્વ ફલક ઉપર ભારત ને અગ્રીમ હરોળમાં લાવી જેના લીધે ભારતે વિશ્વ ગુરુ તરફ હરણફાળ ભરી છે આ કાર્યક્રમના ભાગ રૂપે દાહોદ જિલ્લા કમલમ ખાતે આજે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું
દાહોદ તા. 7
દાહોદ જિલ્લામાં સંપર્કથી સમર્થન અને વિકાસ તીર્થ યાત્રા ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે જેના ભાગ રૂપે આજે પત્રકાર પરિષદ નું આયોજન કમલમ ખાતે થયું હતું ત્યાર પછી પ્રદેશ મીડિયા પ્રભારી હિરેન કોટક અને ટીમ દ્વારા દાહોદ આયુષ્માન હોસ્પિટલમાં ભરતી લાભાર્થીઓ ની મુલાકાત લેવામાં આવી હતી.
ત્યાર પછી સાંસદ જસવંતસિંહ ભાભોર, પ્રભારી સતીશ પટેલ , જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર , મીડિયા પ્રભારી હિરેન કોટક સાથે ભાજપના ગરબાડામાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર એ ગરબાડા તાલુકાના ભે જિલ્લા પંચાયતની સીટના નળવાઈ ગામે રાધાસ્વામી સંપ્રદાયના આગેવાનની મુલાકાત લીધા બાદ શિવશક્તિ મંદિરના ગુરુજી ગણેશપુરીશ્રી મહારાજ (ગાંગરડી) જોડે મુલાકાત થઈ ત્યારબાદ અભલોડ જીલ્લા પંચાયત સીટના અગ્રણી મનુભાઈ હિહોર (નિવૃત્ત ડે. કલેક્ટર) તથા પ્રણામી મંદિર ઉમરીયા વાઘજી પરમાર (નિવૃત્ત શિક્ષક) જોડે સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ નઢેલાવ જિલ્લા પંચાયત સીટના અગ્રણી રામસિંગભાઈ ધનાભાઈ બારીયા (નિવૃત્ત આચાર્ય) સાથે જન સંપર્ક કરવામાં આવ્યો હતો તદુપરાંત આજે ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ, ભે, અભલોડ અને નઢેલાવ જિલ્લા પંચાયત સીટના અગ્રણીઓ જોડે સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ સરો પ્રતિસાદ મળ્યો હતો.
