વસાવે રાજેશ દાહોદ
ઝાલોદના માછણનાળાના વિસ્થાપિતોનું જમીન મેળવવા રસ્તા રોકો આંદોલન, હાઈવે જામ થતાં પોલીસ દોડતી થઇ….
દાહોદ તા.01
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામના માછનનાળા જળાશયના વિસ્થાપિતોને આજ દિન સુધી જમીન ન મળી નથી.તેવા આક્ષેપ સાથે આજરોજ લીમડી ઝાલોદ હાઇવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક પોલીસથી લઈ જિલ્લા પોલીસને થતાં પોલીસ કાફલો લીમડી ઝાલોદ હાઇવે પર ખડકાઈ ગયો છે.
ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામના સ્થાનિકો તેમજ માછણ નાળા જળાશયના વિસ્થાપિતોને જમીન ન મળતા એક વર્ષ પૂર્વે મુખ્યમંત્રીથી લઇ ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી જમીન આપવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક લોકોની રજૂઆતને આજદિન સુધી ધ્યાનમાં લેવામાં ન આવતા આખરે સાપોઈ ગામના ગ્રામજનો દ્વારા આજરોજ 1લી મે ગુજરાત સ્થાપના દિવસથી રસ્તા રોકો આંદોલન તેમજ અચોક્કસ મુદતના અનશન પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો.આંદોલનને પગલે વાહનોની કતારો જામતા જેના પગલે આજે લીમડી ઝાલોદ હાઇવે પર આંદોલનકારીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું.તેને કારણે વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી.ટ્રાફિકજામ થઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાઈ પડ્યા હતા.ઘટનાની જાણ સ્થાનિક પોલીસથી લઈ જિલ્લા પોલીસને થતા પોલીસ કાફલો લીમડી ઝાલોદ હાઇવે પર દોડી ગયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી.જોકે ભીમાભાઈ પાંડોર વર્ષોથી આંદોલન ચલાવી રહ્યા છે માછણનાળાના વિસ્થાપિતોનુ આ પ્રથમ આંદોલન નથી.કારણ કે ભૂતકાળમાં પણ આ જ ભીમાભાઈ પાંડોરના જ નેતૃત્વમા ધરણા,અનશન કરવામા આવ્યા હતા.મામલતદાર કે કલેક્ટરથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆતો આવેદનપત્રો આપવામા આવ્યા છે પરંતુ કોઈ નક્કર નિરાકરણ આજ દિન સુધી આ
વ્યુ નથી.થોડા વર્ષો પહેલા દાહોદ શહેર નજીક આ જ આંદોલનકારીઓએ ડેરા તંબુ તાણી દીધા હતા. પરંતુવન વિભાગ દ્વારા તેમને ખદેડી મુકવામા આવ્યા હતા.ત્યારબાદ ફરીથી આંદોલન શરૂ થતાં તંત્ર સામે પણ સવાલો ઉભા થયા છે..
