સંતરામપુરના પ્રતાપુરા માં પાણીના નિકાલ ન થતા હાઈસ્કુલ સામે કાદવકીચડનો સામ્રાજ્ય:વિદ્યાર્થીઓને હાલાકી…

Editor Dahod Live
2 Min Read

ઈલ્યાસ શેખ, સંતરામપુર

સંતરામપુરના પ્રતાપુરા માં પાણીના નિકાલ ન થતા હાઈસ્કુલ સામે કાદવકીચડનો સામ્રાજ્ય:વિદ્યાર્થીઓને હાલાકી…

સંતરામપુરના પ્રતાપુરા વિસ્તારમાં પાણીના નિકાલના ન થવાના અભાવે જે એચ મહેતા હાઈસ્કૂલના મુખ્ય ગેટ પાસે કાદવ કીચડ અને પાણી ભરાયું 800 જેટલા વિદ્યાર્થીઓ અને હાઈસ્કૂલના સ્ટાફને પડતી હાલાકી પરંતુ આ તકલીફ કે મુશ્કેલી કોઈને જોવાથી જ નથી વર્ષોથી આ વિસ્તારમાં પાણીનો નિકાલ કરવા માટે નગરપાલિકા નિષ્ફળ ગયેલી છે પસાર થતાં સંખ્યાબંધ વાહન ચાલકો અને રાહદારી રોજિંદા હલાકી ભોગવી રહેલા છે વારંવાર આ સમસ્યા માટે હાઈસ્કૂલના આચાર્ય અને સ્થાનિક રહીશો પણ રજૂઆત કરવા છતાંય આ સમસ્યાનું સમાધાન કરવા તૈયાર નથી હજુ સુધી કોઈ નિકાલ જ નહીં આ વિસ્તારમાં પડતી મુશ્કેલીઓ અને વેદના કોઈ સમજવા તૈયાર નથી કાદવ કિચડમાં પસાર થઈને વિદ્યાર્થીઓને પોતાના શુઝ અને કપડાં સાથે ખરાબ થયેલા હાઈસ્કૂલમાં વર્ગખંડમાં પ્રવેશ કરવા મજબૂર બન્યા હાઈસ્કૂલના મુખ્ય દરવાજા પાસે તે પાણી ભરાઈ જવાના કારણે ચોમાસામાં મચ્છરનો ઉપદ્ર વધી રહ્યો છે સંખ્યાબંધ વિદ્યાર્થીઓને આરોગ્ય માટે છેડા પણ થઈ રહેલા છે કોણ સાંભળશે આવી વેદના ને ક્યારેય નિકાલ થશે દરેક નગરમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન વડાપ્રધાન નું સૂત્ર હવે સ્થાનિક નેતાઓ ઘોડીને પી ગયા સરકારી કચેરીઓમાંથી હાઈસ્કૂલોમાંથી સ્વચ્છ ભારતનું સૂત્ર શરૂ થતું હોય છે પરંતુ આ પરિસ્થિતિ દિન પ્રતિ દિન ગંભીર બનતી જાય છે કાદવ કિચનમાં પગ પડે બગડે તે માટે કેટલાક શિક્ષકો એકબીજાના સાઈડ પર મુકેલા કેબિનના પગથિયા પરથી ચડી ઉતરીને જાય છે આટલી બધી મુશ્કેલી તેમ છતાં હાઈ સ્કૂલ આગળથી પાણીનો નિકાલ કરવા તૈયાર નથી ફોટો

Share This Article