ફતેપુરામાં ખેડૂતો પાસેથી ખાતરના વધુ ભાવ વસુલાત કરતા ખેતીવાડી વિભાગે બે સંસ્થાના લાયસન્સ સસ્પેન્ડ કર્યા .

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરામાં ખેડૂતો પાસેથી ખાતરના વધુ ભાવ વસુલાત કરતા ખેતીવાડી વિભાગે બે સંસ્થાના લાયસન્સ સસ્પેન્ડ કર્યા .

– જાગૃત ખેડૂતોએ કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી.

– પંદર દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરી કાર્યવાહી હાથ ધરાઇ.

( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૪

Paid pramotion

Contact us :- sunrise public school 

ફતેપુરા તાલુકામાં ચોમાસુ સિઝન શરૂ થઈ ગઈ છે.ખેડૂતોએ વાવેતર કરી દીધું છે.ખેડૂતો દ્વારા બિયારણ ખાતરની ખરીદી કરવામાં આવી રહી છે.જેમાં કેટલાક સરકાર માન્ય સંસ્થાઓ અને એગ્રો સંચાલકો દ્વારા ખેડૂતો પાસેથી ખાતર બિયારણની ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે.જે બાબતે જાગૃત ખેડૂત આગેવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેની તપાસ બાદ કલેકટરના આદેશથી ખેતીવાડી વિભાગ દ્વારા ફતેપુરાના ૨ સંસ્થાઓના લાયસન્સ પંદર દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ફતેપુરા તાલુકામાં સરકાર માન્ય એગ્રો સંચાલકો, મંડળીઓ,સંસ્થાઓ દ્વારા ખાતર બિયારણનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.જેમાં કેટલાક સંચાલકો મન ફાવે તેમ સરકારના નિયમોની ઐસીતૈસી કરી વધારે ભાવ લઈ ખેડૂતો પાસે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. જેમાં જાગૃત ખેડૂતો દ્વારા કલેકટરને વેપારીઓના નામ સાથે આવેદન આપવામાં આવ્યું હતું.જેમાં ગ્રાહક ભંડાર સહકારી મંડળી સલીમ સાઠીયા, એ બી સી ફતેપુરા પ્રવીણ શાહ, કાંતિભાઈ બારીયા, કાલુભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ અગ્રવાલના વેપારીઓ નામોનો સમાવેશ થાય છે. જેઓ દ્વારા ખાતરના ઊંચા ભાવ લેતાં હોવાની ખેડૂતો દ્વારા રજૂઆત કરાઇ હતી.જેમાં કલેકટર દ્વારા તપાસના આદેશ કરાયા હતા.તપાસ દરમિયાન ખેતીવાડી વિભાગ દ્વારા ફતેપુરાના ગ્રાહક ભંડાર સહકારી મંડળી સલીમ સાથીયા અને એ બી સી ફતેપુરા પ્રવીણ શાહ વધુ ભાવ લેતા હોવાનું ધ્યાને આવતા પંદર દિવસ માટે લાયસન્સ રદ કરવાનો હુકમ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા સરકાર દ્વારા એગ્રો સંચાલકો અને માન્ય સંસ્થા મંડળીઓને ખાતર બિયારણનો આપવામાં આવતો જથ્થો ખેડૂતોને આપવામાં આવ્યો છે કે કેમ તેનું ક્રોસ ચેકિંગ કરાય તો હજુ પણ વધુ ખાતર કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Share This Article