Friday, 26/04/2024
Dark Mode

દાહોદના હોમીયોપેથી અને આયુર્વેદિક ડોક્ટર એસોશીએશને”પ્રધાનમંત્રી કેર ફંડ”માં એક લાખ એકોતેર હજારનું ચેક કલેક્ટરશ્રીને અર્પણ કર્યું

દાહોદના હોમીયોપેથી અને આયુર્વેદિક ડોક્ટર એસોશીએશને”પ્રધાનમંત્રી કેર ફંડ”માં એક લાખ એકોતેર હજારનું ચેક કલેક્ટરશ્રીને અર્પણ કર્યું

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.21

વૈશ્વિક મહામારી કોવિદ-19 નો ક્રુર પંજો આખા વિશ્વને સકંજામાં લઇ રહ્યો છે.ભારતમાં પણ આ મહામારી પોતાનો પરચો બતાવી રહી છે, ત્યારે આપણા વડાપ્રધાન શ્રીની દિર્ધદ્રષ્ટિ અને સજાગતા એ દેશને ખુબજ મોટા નુકસાનથી ઉગારી લીધેલ છે.સૌ દેશવાસીઓ પણ પોતાની શક્તિ પ્રમાણે આ વિપત્તી સામે સરકાર ને મદદરૂપ થઇ રહ્યાં છે.મદદ ની આ શ્રૃંખલામાં દાહોદના હોમીયોપેથી અને આયુર્વેદિક ડોક્ટર એસોશીએશન “પ્રધાનમંત્રી કેર ફંડ”માં રુ.1,71,000 (એક લાખ એકોતેર હજાર) નુ દાન  કરેલ છે.
એસોશીએશન વતી ડો.નિલમ બામણ,ડો.રાજેન્દ્ર નાયક,ડો.મિતેશ હાડા, ડો.ઉમેશ પટેલ, ડો.હિતેન્દ્ર તિતરીયા એ દાહોદના કલેકટરશ્રી ને આ દાન ની રકમનો ચેક અર્પણ કર્યો હતો.

error: Content is protected !!