Sunday, 08/09/2024
Dark Mode

સંતરામપુરના નાના નટવા ખાતે ઘનકચરાના નિકાલ માટેની જગ્યાની માપણી કરાઈ

સંતરામપુરના નાના નટવા ખાતે ઘનકચરાના નિકાલ માટેની જગ્યાની માપણી કરાઈ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તાલુકાના નાના નટવા ગામે ઘનકચરાના નિકાલ માટેની જગ્યાની માપણી કરાઈ

સંતરામપુર તા.03

સંતરામપુર તાલુકાના નાના નટવા ગામે આજરોજ નગરપાલિકા દ્વારા કાયમી ધોરણે સંતરામપુર નગરમાં કચરાના નિકાલ માટેની જગ્યાની ફાળવણી માટે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત અને માંપણી કરવામાં આવી હતી આજે નાના નટવા ગામે સરકારી અધિકારીઓ એલઆરડી ચીફ ઓફિસર તમામ અધિકારીઓ જોડે રહીને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જમીનની માપણી કરવામાં આવી હતી મહીસાગર જિલ્લામાંથી કલેકટર દ્વારા 17 5 19 ના રોજ નોંધ પાડીને હુકમ કરવામાં આવ્યો હતો રેવન્યુ સરકારી ખરાબો જમીન સરકારશ્રી તથા બીજા હક માટે આ જમીનમાં નોંધ કરાવી ને હુકમ કરીને નગરપાલિકાને ફાળવણી કરવામાં આવી હતી   તમામ ખાતાના અધિકારીઓ જમીન માપણી સ્થળ ઉપર કરવામાં આવી હતી તે દરમિયાન કેટલાક ગ્રામજનોએ તેનો ઉગ્ર વિરોધ અને ઘર્ષણ કર્યો હતો પણ ખરાબો જમીન સરકારશ્રીની રેકોર્ડ મુજબ નગરપાલિકાને ઘનકચરાના નિકાલ માટે આપવામાં આવી હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જમીન માપણી કરાઈ હતી.

error: Content is protected !!