Friday, 29/03/2024
Dark Mode

દાહોદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે શહેર સહીત જિલ્લામાં હોમ હવન,બલ્ડ ડોનેશન કેમ્પ, આતીશબાજી,માસ્ક તેમજ વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમો યોજાયા

September 17, 2020
દાહોદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે શહેર સહીત જિલ્લામાં હોમ હવન,બલ્ડ ડોનેશન કેમ્પ, આતીશબાજી,માસ્ક તેમજ વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમો યોજાયા

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે શહેર સહીત જિલ્લામાં હોમ હવન,બલ્ડ ડોનેશન કેમ્પ, આતીશબાજી,માસ્ક તેમજ વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમો યોજાયા,સુખસરમાં વૃક્ષારોપણ માસ્ક વિતરણ તેમજ સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો,સંજેલી તાલુકા પંચાયત કચેરીએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સંજલી અનાજ માર્કેટ યાર્ડમાં સેવા સપ્તાહ અંતર્ગત અનાજ માર્કેટ યાર્ડ માં ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું

દાહોદ તા.17

નીલ ડોડીયાર :- દાહોદ 

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 70 માં જન્મદિવસ નિમિતે દાહોદ શહેર સહીત જિલ્લામાં વિવિધ આયોજન થયા હતા.દાહોદ શહેરના ભાજપા દ્વારા ઉજવવામાં આવી રહેલા “સેવા સપ્તાહ” અંતર્ગત આજે તા.17/9/2020 ગુરૂવારના રોજ દાહોદ શહેરના વોર્ડ નં – 3 માં ઠક્કર ફળિયા ચુનાવાલા કમ્પાઉન્ડમાં સફાઈ કામદારોને “અનાજ રાશનની કીટ”વિતરણ કરવામા આવી છે.કેદારનાથ મહાદેવ મંદિર ખાતે હવન પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.લાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિનની ઉજવણી ભાગરૂપે આજ રોજ ગોધરા રોડ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ કાઉન્સિલર શ્રી દ્વારા કેક નું વિતરણ કરવા માં આવ્યું હતું.

 

હિતેશ કલાલ :- સુખસર 

ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ધારાસભ્ય રમેશભાઈ કટારા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જલ્પાબેન આંબલીયા તાલુકા ભાજપાના મહામંત્રી નાનુભાઈ ભગોરા વાંદરીયા પૂર્વના નાથુભાઈ ડીંડોર ચતુરભાઈ પાંડોર સહિત કાર્યકર્તાઓ દ્વારા જન્મદિનની ઉજવણી કરાઇ હતી કન્યા શાળા ખાતે વૃક્ષારોપણ ફતેપુરા માર્કેટયાર્ડમાં સ્વચ્છતા અભિયાન સુખસરમાં માસ્ક વિતરણ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તેમજ વડાપ્રધાન ઉતરોતર પ્રગતિ કરે અને દેશ-દુનિયામાં નામ રોશન કરે આયુષ્ય વધે તૈયાર છે ધારાસભ્ય દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

કપિલ સાધુ :- સંજેલી

સંજેલીમાં આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસની આજરોજ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સંજેલી તાલુકા પંચાયત કચેરીએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સંજલી અનાજ માર્કેટ યાર્ડમાં સેવા સપ્તાહ અંતર્ગત અનાજ માર્કેટ યાર્ડ માં ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમા ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમજ સંજેલી તાલુકા વિકાસ અધિકારી તેમજ સંજેલી તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મની ઉજવણી કરી હતી.

 

error: Content is protected !!